May 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-167

 
અધ્યાય-૧૮૨-વસિષ્ઠે નિયોગ કેમ કર્યો?

II अर्जुन उवाच II राज्ञा कल्माषपादेन गुरौ ब्रह्मविदांपरे I कारणं किं पुरस्कृत्य भार्या वै संनियोजिता II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,કયા કારણથી,કલ્માષપાદ રાજાએ,પોતાની પત્ની સાથે,વસિષ્ઠનો નિયોગ કરાવ્યો?

પરમ ધર્મને જાણનારા વસિષ્ઠે આવું,પુત્રવધુ જેવી સ્ત્રી સાથે ગમન કેમ કર્યું? મારા આ સંશયનું નિવારણ કરો 

Apr 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-166

 
અધ્યાય-૧૮૦-ઔર્વના ક્રોધની શાંતિ-ને વડવામુખ અગ્નિની ઉત્પત્તિ 

II और्व उवाच II उक्तवानस्मि यां क्रोधात् प्रतिज्ञां पितरस्तदा I सर्वलोकविनाशाय न सा मे वितथा भवेत् II १ II

ઔર્વ બોલ્યા-હે પિતૃઓ,ક્રોધમાં આવીને,સર્વ લોકના વિનાશની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા નહિ થાય.

ક્રોધ અને પ્રતિજ્ઞામાં હું વ્યર્થ થવા ઈચ્છતો નથી,કેમ કે,જેમ,અગ્નિ અરણિને બાળી મૂકે,તેમ પર ન પડેલો રોષ 

મને જ બાળી નાખે.જે મનુષ્ય,કારણસર ઉપજેલા ક્રોધને શમાવવાનું યોગ્ય ધારે છે,તે ધર્મ,અર્થ અને કામ એ 

ત્રણનું સારી રીતે રક્ષણ કરવા સમર્થ થતો નથી.અસભ્ય મનુષ્યોને અંકુશમાં લાવવા ને સભ્ય મનુષ્યોનું સંરક્ષણ કરવા,ને સર્વને જીતવા ઇચ્છતા રાજાઓએ યોગ્ય સ્થાને રોષ (ક્રોધ) કરવો જ જોઈએ.(1-4)

Apr 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-165

અધ્યાય-૧૭૮-વસિષ્ઠે કહેલું ઔર્વનું ઉપાખ્યાન 

II गन्धर्व उवाच II आश्रमस्था ततः पुत्रंदश्यन्ति व्यजायत I शक्तेः कुलकरं राजन् द्वितीयमिवशक्तिनं II १ II

ગંધર્વ બોલ્યો-હે રાજન,પછી,આશ્રમમાં રહેલી,અદશ્યન્તીએ શક્તિના કુળને વધારનાર,બીજા શક્તિ જેવા

એક પુત્રને જન્મ આપ્યો.વસિષ્ઠે પોતે જ તે પૌત્રની જાતકર્માદિ ક્રિયાઓ કરી.તે ગર્ભમાં હતો ત્યારે,વસિષ્ઠ,

પરાસુ (પ્રાણમુક્ત) થવાના નિશ્ચય પર હતા,તેથી આ લોકમાં તે પરાશર (મરણ માટે નિશ્ચયીને (પરાસુને)

આશ્વાસન આપનાર) તરીકે ઓળખાયો.તે ધર્માત્મા વસિષ્ઠને જ પોતાના પિતા માનતા હતા 

ને જન્મથી જ તે તેમના તરફ પિતાની જેમ વર્તતા (1-4)

Apr 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-164

 
અધ્યાય-૧૭૭-વસિષ્ઠથી સૌદાસપુત્રની ઉત્પત્તિ 

II गन्धर्व उवाच II ततो द्रष्टाश्रमपदं रहितं तैSसुतैर्मुनिः I निर्जगां सुदुखार्तः पुनरप्याश्रमात्तत: II १ II

ગંધર્વ બોલ્યો-પછી,મુનિ (વસિષ્ઠ) પોતાના આશ્રમને,તે પુત્રો વિનાનો,સૂનો જોઈને,ફરી અત્યંત દુઃખી થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા.તેમણે,વર્ષાકાળે,નવજળથી છલાછલ ભરેલી,અને અનેક વૃક્ષોને ખેંચી જતી એક 

નદી જોઈ,ને વિચારવા લાગ્યા કે-'આ દુઃખ સહેવા કરતાં,આ પાણીમાં જ પડું' ને પછી,તેમણે પોતાના શરીરને 

મજબૂત દોરડાથી બાંધી દઈને,તે મહાનદીમાં પડતું મૂક્યું.પણ,તે નદીએ તેમના સર્વ પાશ કાપી નાખ્યા 

ને તેમને,બંધનમુક્ત કરીને બહાર જમીન પર મૂકી દીધા.(1-5)

Apr 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-163

 
અધ્યાય-૧૭૬-વસિષ્ઠ ચરિત્ર તથા કલ્માષપાદ રાજાની કથા 

II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.

તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને 

માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ 

એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.

રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'

Apr 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-162

 
અધ્યાય-૧૭૫-વસિષ્ઠે વિશ્વામિત્રનો કરેલો પરાભવ 

II अर्जुन उवाच II किंनिमित्तममृद्वैरं विश्वामित्रवशिष्ठयोः I वसतोराश्रमे दिव्ये शंस नः सर्वमेवतत II १ II

અર્જુન બોલ્યો-પોતપોતાના દિવ્ય આશ્રમમાં રહેતા,વશિષ્ઠ અને વિશ્વામિત્રને,કેમ વેર થયું હતું? તે બધું મને કહો.

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,કુશિકનો,એક લોકપ્રસિદ્ધ પુત્ર,ગાધી,કાન્યકુબ્જમાં મહારાજા હતો.વિશ્વામિત્ર તેનો પુત્ર હતો.

તે શત્રુમર્દન પાસે,પુષ્કળ સેના અને વાહનો હતાં.એકવાર તે વિશ્વામિત્ર,મૃગયા કરતા હતા,ત્યારે શ્રમથી થાકેલા,

અને તરસ્યા થયેલા તે વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.વશિષ્ઠે તેમનો આદર કર્યો,ને સ્વાગત કર્યું.(1-7)

Apr 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-161

 
અધ્યાય-૧૭૪-પાંડવોને પુરોહિત કરવાની સલાહ 

II वैशंपायन उवाच II स गन्धर्ववचः श्रुत्वा तत्तादभरतपर्म I अर्जुनः परया भक्त्या पूर्णचन्द्र इवावमौ II १ II

વૈશંપાયન બોલ્યા-હે  ભરતોત્તમ,ત્યારે ગંધર્વનું તે વચન સાંભળીને,અર્જુન પરમ ભક્તિપૂર્વક પૂર્ણચંદ્રની જેમ શોભી રહ્યો.પછી,વસિષ્ઠના તપોબળ,વિશે,અત્યંત કુતુહલ પામેલા તે અર્જુને ગાંધર્વને કહ્યં કે-'તમે વસિષ્ઠ નામે જે ઋષિ વિશે કહ્યું તે અમારા પૂર્વજોના પુરોહિત ઋષિ વિષે હું યથાવત સર્વ સાંભળવા ઈચ્છું છું.તો તે મને કહો (1-4)

(નોંધ-અહીં હવે,અધ્યાય-174 થી અધ્યાય-182 સુધી વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા છે,પાંડવોએ પુરોહિત કરવા જોઈએ,તે સંબંધી,

પુરોહિત વસિષ્ઠની આ કથા કહેવામાં આવી છે.અધ્યાય-183 માં પાંડવો ધૌમ્યઋષિને પુરોહિત બનાવે છે-અનિલ)

Apr 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-160

અધ્યાય-૧૭૨-સંવરણ અને તપતીની વાતચીત 

II गन्धर्व उवाच II अथ तस्यामद्रष्यायांनृपतिः काममोहितः I पातनः शत्रुसंधानां पपात धरणीतले II १ II

ગંધર્વ બોલ્યો-પછી,તે કન્યા જોવામાં આવી નહિ એટલે શત્રુઓના સમુહોને પણ પાડનારો એવો તે રાજા,

કામ મોહિત થઈને ધરતી પર ઢળી પડ્યો.ત્યારે તે સુમધુર સ્મિતવાળી કન્યાએ ફરીથી રાજાને દર્શન આપ્યું.

અને કહ્યું કે-'હે શત્રુદમન,ઉઠો,ઉભા થાઓ,તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ છો,તમારે મોહ પામવો જોઈએ નહિ'

તપતીના મીઠાં વચનોથી રાજાએ આંખ ખોલી જોયું,ને સામે તે કન્યાને ઉભેલી જોઈ,તેને કહેવા લાગ્યો કે-

Apr 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-159

 
અધ્યાય-૧૭૧-તપતીનું ઉપાખ્યાન 

II अर्जुन उवाच II तापत्य इति यद्वाक्यमुक्तवानसिमामिह I सदहंज्ञातुमिच्छामि तापत्यर्थ विनिश्रितं II १ II

અર્જુન બોલ્યો-તમે,મને અહીં,તાપત્ય,એવું સંબોધન કર્યું,તો તે તાપત્ય શબ્દનો નિશ્ચિત અર્થ જાણવા ઈચ્છું છું.

તપતી કોણ હતી?કે જેને કારણે અમે તાપત્ય કહેવાયા?અમે તો કુન્તીપુત્રો છીએ.(1-2)

Apr 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-158

 
અધ્યાય-૧૭૦-ચિત્રરથ ગંધર્વનો પરાજય 

II वैशंपायन उवाच II गते भगवति व्यासे पाण्डवा हृष्टमानसाः I ते प्रतस्थु: पुरुस्कृत्य मातरं पुरुषर्पभाः II १ II

વૈશંપાયન બોલ્યા-વ્યાસજી ત્યાંથી ગયા,પછી આનંદિત મનવાળા તે પુરુષસિંહ પાંડવો,માતાને આગળ રાખી,પાંચાલ નગર તરફ જવા નીકળ્યા.તે પહેલાં,તે પરંતપોએ બ્રાહ્મણની આજ્ઞા લીધી ને તેને નમસ્કાર કરી સન્માન આપ્યું,ને પછી,તેઓ સીધા ઉત્તરના માર્ગે ચાલ્યા.ને એક દિવસ-એક રાત ચાલ્યા પછી,ગંગા કિનારા પરના સોમાશ્રયણ તીર્થે પહોંચ્યા.(ત્યાં જતાં રસ્તે રાતના સમયે) મહારથી અર્જુન,પ્રકાશ માટે,હાથમાં ઉંબાડિયું (મશાલ) લઈને આગળ ચાલતો હતો.તે વખતે ગંગામાં એક ઈર્ષાળુ ગંધર્વ,સ્ત્રીઓને લઇ જળક્રીડા કરવા આવ્યો હતો (1-5)

Apr 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-157

 
અધ્યાય-૧૬૮-પાંડવો પાંચાલ દેશમાં 

II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वातु कौन्तेयाः शल्यविद्धा इयाभवन I सर्वे चास्यास्थमनसो वभृयुस्ते महाबलाः II १ II

વૈશંપાયન બોલ્યા-આ સાંભળીને મહાબળવાન કુંતીપુત્રો,જાને શલ્ય (બાણ)થી વીંધાયા હોય તેવા થઇ ગયા.ને તે સૌનાં મન અસ્વસ્થ થયાં.તેમને આમ મૂઢ જેવા થયેલા જોઈને,કુંતીએ યુધિષ્ઠિરને કહ્યું કે-'અહીં આ બ્રાહ્મણને ઘેર ઘણા દિવસો સુધી રહ્યા ને ભિક્ષા લાવીને સમય પસાર કર્યો છે.વળી,આસપાસનાં વનો,ઉપવનો પણ આપણે ફરીફરીને અનેકવાર જોયાં છે,જેથી ફરીવાર જોવામાં પ્રસન્નતા રહેતી નથી,ને હવે ભિક્ષા પણ બરોબર મળતી નથી,તો તમને ઠીક લાગતું હોય તો આપણે સુખેથી,ન જોયેલા રમણીય પાંચાલ દેશમાં જઈએ.(1-5)

Apr 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-156

અધ્યાય-૧૬૭-દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ 

II ब्राह्मण उवाच II अमर्पी द्रुपदो राज कर्मसिद्धान द्विजर्पमान I अन्विच्छन्परिचक्राम ब्राह्मणावसथान बहुन् II १ II

બ્રાહ્મણ બોલ્યો-પછી,ડંખીલો (વેરવાળો) તે દ્રુપદરાજ,કર્મમાં સિદ્ધ એવા શ્રેષ્ઠ દ્વિજોને શોધતો,અનેક બ્રાહ્મણોના ઘેર આથડયો.પુત્રોત્પત્તિના શોકથી મૂઢચિત્ત થયેલો તે પુત્રના જન્મની ઈચ્છા કર્યા કરતો હતો.ને નિત્ય ચિંતા કર્યા કરતો હતો કે-'હાય,મને શ્રેષ્ઠ બાળક નથી' ને ઊંડા ઊંડા નિસાસા નાખતો હતો.દ્રોણના પ્રભાવ,વિનય,શિક્ષા તથા ચરિતોને સંભારીને તે નૃપશ્રેષ્ઠ,બદલો લેવાના યત્ન કરતો હતો પણ તેને કોઈ ઉપાય લાધતો નહોતો (1-4)

Apr 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-155

 
ચૈત્રરથપર્વ 

અધ્યાય-૧૬૫-દ્રૌપદીની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II ते तथा पुरुषव्याघ्रा निहत्य बकराक्षसं I अत ऊर्ध्व ततोब्रह्मन्किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,બક રાક્ષસને મારીને તે પુરુષસિંહ પાંડવોએ પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી,તેઓ બ્રાહ્મણના ઘરમાં વેદવેદાંતનું પરમ અધ્યયન કરતા રહ્યા.

કેટલાક સમય બાદ,એક ઉત્તમવ્રતી બ્રાહ્મણ,એ બ્રાહ્મણને ઘેર રહેવા આવ્યો.શુભ કથા કહેતા એ બ્રાહ્મણનું સર્વેએ

પૂજન કર્યું.તે બ્રાહ્મણે,સર્વ દેશો,તીર્થો,સરિતાઓ,રાજાઓનાં નગરો વિષે કહ્યું,ને કથાના અંતે,તેણે,પાંચાલ દેશમાં,

યજ્ઞસેન(દ્રુપદ)પુત્રીના સ્વયંવર વિશે.ધૃષ્ટદ્યુમ્નના જન્મ વિશે,શિખંડીની ઉત્પત્તિ વિશે,ને દ્રુપદના મહાયજ્ઞમાં દ્રૌપદીના અયોનિજન્મ વિશેની સઘળી કથા કહી.તે અત્યંત આશ્ચર્યકારક કથા સાંભળીને,પાંડવોએ તેને પૂછ્યું કે-

Apr 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-154

અધ્યાય-૧૬૩-ભીમ અને બકાસુરનું યુદ્ધ 

II युधिष्ठिर उवाच II उपपन्नमिदं मातस्त्वया यद्बुध्धिपुर्वकम् I आर्तस्य ब्राह्मणस्यैतदनुक्रोशादिदं कृतम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મા,દુઃખી બ્રાહ્મણ પર દયા કરીને તમે આ જે બુદ્ધિપૂર્વક કર્યું તે યોગ્ય જ છે.તમે નિત્ય,બ્રાહ્મણ પર દયાવાળા છો,એટલે આ ભીમ,તે નરભક્ષક રાક્ષસને મારીને અવશ્ય પાછો આવશે.પણ,નગરવાસીઓ,આ જાણી જાય નહિ,તે માટે આ બ્રાહ્મણને કહેવું,ને યત્નપૂર્વક તેની પાસે સ્વીકારાવવું પડશે (1-3)

Apr 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-153

અધ્યાય-૧૬૨-યુધિષ્ઠિર ને કુંતીનો સંવાદ 

II वैशंपायन उवाच II करिष्य इति भीमेन प्रतिज्ञातेSथ भारत I आजम्युस्ते ततः सर्वे भैक्षमादाय पाण्डवाः II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમે જયારે 'હું કરીશ' એવી પ્રતિજ્ઞા કરી,ત્યાં તો સર્વ પાંડવો ભિક્ષા મેળવીને આવ્યા,

ભીમના મોં પરના ભાવને કળી જઈને,યુધિષ્ઠિર,એકાંતમાં માતા કુંતીને પૂછવા લાગ્યા કે-'આ ભયંકર પરાક્રમી 

ભીમે શું કામ કરવા ધાર્યું છે?તમારી એમાં સંમત્તિ છે? કે પોતે જ તે કરવાનું લઇ બેઠો છે? 

કુંતી બોલી-મારા વચનથી જ,બ્રાહ્મણના માટે ને નગરના મોક્ષ માટે તે એક મહાન કાર્ય કરશે (1-4)