અધ્યાય-૧૩-શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન
II वैशंपायन उवाच II ऋशैस्तद्वचनं श्रुत्वा निशश्वास युधिष्ठिरः I चिन्तयन् राजसुयैष्टिं न लेभे शर्म भारत II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,નારદ ઋષિનું તે વચન સાંભળીને,યુધિષ્ઠિરે નિશ્વાસ મુક્યો અને રાજસૂય યજ્ઞના વિચારમાં તેમને મનમાં શાંતિ વળી નહિ,ને છેવટે તેમણે રાજસૂય યજ્ઞ કરવાનો મનમાં નિર્ધાર કર્યો.
તે વારંવાર ધર્મનું જ ચિંતન કરીને 'શાથી સર્વલોકનું મંગલ થાય?' એનો વિચાર કરતા રહ્યા.ને પ્રજા પર અનુગ્રહ કરીને તેમનું વિશેષ હિત કરવા લાગ્યા,કોપ-મદને છોડીને તે સર્વને આજ્ઞા આપતા હતા કે 'દેવા યોગ્ય હોય તે સર્વને દાન આપો' તેમના આવા વર્તનથી લોકો કહેવા લાગ્યા કે-'ધર્મ ને ધર્મરાજા શ્રેષ્ઠ છે' (8)