Jul 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-227

 
રાજસૂયારંભ પર્વ 

અધ્યાય-૧૩-શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન 

II वैशंपायन उवाच II ऋशैस्तद्वचनं श्रुत्वा निशश्वास युधिष्ठिरः I चिन्तयन् राजसुयैष्टिं न लेभे शर्म भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,નારદ ઋષિનું તે વચન સાંભળીને,યુધિષ્ઠિરે નિશ્વાસ મુક્યો અને રાજસૂય યજ્ઞના વિચારમાં તેમને મનમાં શાંતિ વળી નહિ,ને છેવટે તેમણે રાજસૂય યજ્ઞ કરવાનો મનમાં નિર્ધાર કર્યો.

તે વારંવાર ધર્મનું જ ચિંતન કરીને 'શાથી સર્વલોકનું મંગલ થાય?' એનો વિચાર કરતા રહ્યા.ને પ્રજા પર અનુગ્રહ કરીને તેમનું વિશેષ હિત કરવા લાગ્યા,કોપ-મદને છોડીને તે સર્વને આજ્ઞા આપતા હતા કે 'દેવા યોગ્ય હોય તે સર્વને દાન આપો' તેમના આવા  વર્તનથી લોકો કહેવા લાગ્યા કે-'ધર્મ ને ધર્મરાજા શ્રેષ્ઠ છે' (8)

Jul 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-226

 
અધ્યાય-૧૨-નારદે પાંડુરાજાનો સંદેશો કહ્યો

II युधिष्ठिर उवाच II प्रायशो राजलोकस्ते कथितो वदतां वर I विवस्वनसभायां तु यथा वदसि मे प्रभो II १ II

યુધિષ્ઠિર બોલ્યા-જે વક્તાઓમાં શ્રેષ્ઠ,છો તે ,પ્રમાણે,યમરાજની સભામાં ઘણું કરીને રાજાઓ વિરાજે છે,

વરુણની સભામાં નાગો,દૈત્યેન્દ્રો,સતિતઓ ને સાગરો ગણાવ્યાં છે,કુબેરજીની સભામાં તમે,યક્ષો,ગુહ્યકો,

રાક્ષસો,ગંધર્વો,અપ્સરાઓ ને ભગવાન શંકરની ગણના કરી છે,બ્રહ્માની સભામાં તમે મહર્ષિઓ,દેવગણો અને 

સર્વ શાસ્ત્રો કહ્યાં,ને ઇન્દ્રની સભામાં દેવો,ગંધર્વો  ને મહર્ષિઓને કહ્યા.(5)

Jun 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-225

અધ્યાય-૧૧-બ્રહ્માજીની સભાનું વર્ણન 

II नारद उवाच II पितामहसभां तात कथ्यमानिबोदः मे I शक्यते या न निर्देष्टुमेवरुपेति भारत II १ II

નારદ બોલ્યા-હે તાત,હું પિતામહ બ્રહ્માની સભા,'અમુક રૂપની છે' એવો નિર્દેશ થઇ શકે તેમ નથી.

પૂર્વે સત્યયુગમાં,આદિત્ય ભગવાન,સ્વર્ગમાંથી મનુષ્યલોકને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.

તેઓ માનવરૂપે વિચરતા હતા,ત્યારે તેમણે મને,તે દિવ્ય,મનમાં જેના સ્વરૂપનો વિચાર ન આવે એવી,

પ્રભાવમાં અવર્ણનીય અને પ્રાણીના મનનું રંજન કરે તેવી તે અપ્રમેય સભા વિશે મને તત્ત્વપૂર્વક કહ્યું હતું.(4)

Jun 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-224

 
અધ્યાય-૧૦-કુબેરની સભાનું વર્ણન 

II नारद उवाच II सभा वैश्र्वणि राजन शतयोजनमायता I विस्तीर्णा सप्ततिश्चैव योज्नातिसितप्रभा II १ II

નારદ બોલ્યા-હે મહારાજ,કુબેરની ઉજ્જવળ કાંતિવાળી સભા,લંબાઈ-પહોળાઈમાં સો યોજન છે અને 

વિસ્તારમાં સિત્તેર યોજન ફેલાયેલી છે.કુબેરે પોતાના તપથી તેને પ્રાપ્ત કરી છે.કૈલાશ પર્વતના શિખર જેવી 

એ સભા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે છે.ગુહ્યકોથી,એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતી તે સભા જાણે આકાશમાં જડાઈ હોય એમ શોભે છે.તે સભા,દિવ્ય સુવર્ણમય ભવનોથી સુશોભિત છે.દિવ્ય ગંધોથી ભરેલી તે મોટાં રત્નોથી જડિત છે.સફેદ વાદળાંના શિખર જેવી તે જાણે તરતી હોય તેમ દેખાય છે (4)

Jun 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-223

અધ્યાય-૯-વરુણની સભાનું વર્ણન 

II नारद उवाच II युधिष्ठिर सभा दिव्या वरुणस्यमित्रप्रभा I प्रमाणेन यथा याभ्या शुभप्राकारतोरणा II १ II

 નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,વરુણની સભા દિવ્ય,અમાપ તેજસ્વી,યમરાજની સભાના જેવી પ્રમાણવાળી,અને 

સુંદર કોટો અને દ્વારોવાળી છે.વિશ્વકર્માએ તેને જળની ભીતર ઘડી છે,દિવ્ય,રત્નમય,ફળો તથા પુષ્પો આપનારા વૃક્ષોથી,તેમ જ અનેક રંગની મંજરીઓની જાળો ને ગુચ્છાઓથી તે શોભી રહી છે.તેમાં અવર્ણ્ય દેહવાળાં 

અને મધુર ટહુકાઓ કરનારાં સેંકડો પક્ષીઓ છે.વરુણે રક્ષેલી તે સભા સુખદ સ્પર્શવાળી છે.

તેમાં ભવનો અને આસનો છે અને તે શ્વેત તથા રમણીય છે.(5)

Jun 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-222

 
અધ્યાય-૮-યમરાજની સભાનું વર્ણન 

II नारद उवाच II कथयिप्ये सभां याम्यां युधिष्ठिर निबोध ताम् I वैवस्वतस्य यां पार्थ विश्वकर्मा चकार ह II १ II

નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે,હું તમને સૂર્ય(વિવસ્વાન) ના પુત્ર યમની સભા વિશે કહું છું તે તમે સાંભળો.

તેને વિશ્વકર્માએ બનાવી છે,ને લંબાઈ તથા પહોળાઇમાં સો યોજનથી પણ વધુ વિસ્તારવાળી છે.

સૂર્યના જેવા પ્રકાશવાળી,સર્વ બાજુ ઝળહળી રહેલી અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરતી તે સભામાં,

વધુ પડતી ઠંડી નથી કે વધુ પડતી ગરમી નથી,મનને આનંદ આપે તેવી છે,તેમાં શોક-કે ઘડપણ નથી,

ભૂખ-તરસ નથી,દીનતા ને થાક નથી,ને તેમાં અપ્રિયતા ને પ્રતિકૂળતા નથી.(4)

Jun 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-221

 
અધ્યાય-૭-ઇન્દ્રની સભાનું વર્ણન 

II नारद उवाच II शक्रस्य तु सभा दिव्य भाखरा कर्मनिर्मिता I स्वयं शक्रेण कौरव्य निर्जितार्कसमप्रभा II १ II

નારદ બોલ્યા-હે કુરુવંશી,ઇન્દ્રની તે દિવ્ય સભા વિશ્વકર્માએ નિર્માણ કરી છે અને  એ સૂર્ય જેવી પ્રભાવાળી સભાને ઇન્દ્રે પોતે વિજયમાં મેળવી છે.તે સો યોજન પહોળી,દોઢસો યોજન લાંબી ને પાંચ યોજન ઊંચી છે.તે આકાશમાં વિરાજિત ને ઈચ્છીત ગતિવાળી છે.તેમાં ઘડપણ,શોક કે ક્લેશનું નામ નથી.ઉપદ્રવહીન,મંગલમયી,શુભતાભરી,

સુભવનવાળી,સુઆસનભરી અને રમણીય એવી તે દિવ્ય વૃક્ષોથી શોભી રહી છે.અનુપમ સુંદર શરીરવાળા,

મુકુટધારી, લાલ બાજુબંધ સજેલા,નિર્મળ વસ્ત્ર પહેરેલા અને સુંદર માળા પહેરેલા,દેવરાજ ઇન્દ્ર,શ્રી,લક્ષ્મી,હ્રીં,

કીર્તિ અને દ્યુતિ સહિત પોતાની મહેન્દ્રાણી (પત્ની) સાથે એ સભામાં પરમ આસને વિરાજે છે (5)

Jun 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-220

અધ્યાય-૬-યુધિષ્ઠિરની બીજી સભાઓ વિષે પૂછપરછ 

II वैशंपायन उवाच II संपूज्याथाभ्यनुज्ञातो महर्षेर्वचनात परम् I प्रत्युवाचानुपुर्व्येण धर्मराजो युधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-મહર્ષિનાં વચન સાંભળીને,ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનું સન્માન કરી,રજા લઈને ક્રમ પ્રમાણે પૂછ્યું 

યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવાન,તમે ધર્મના નિશ્ચયને ન્યાયપૂર્વક અને યથાવત કહ્યો.હું યથાન્યાયે શક્તિ અનુસાર એ વિધિએ જ વર્તુ છું.પૂર્વના રાજાઓએ જે કાર્યો કર્યા હતા,તે ન્યાયસંગત,અર્થવાળાં,હેતુયુક્ત હતાં,એમાં સંશય નથી.

અમે પણ એ માર્ગે જ જવા ઇચ્છીએ છીએ,પરંતુ તે જિતેન્દ્રિય રાજાઓની જેમ અમે ચાલી શકતા નથી.(4)

મનના જેવા વેગવાળા તમે,બ્રહ્માએ નિર્મેલા અનેક નાનાવિધ લોકોને પહેલેથી સદા જોતા આવ્યા છો. 

હે બ્રહ્મન,તમે આ સભાના જેવી અથવા એથી ચડિયાતી એવી બીજી કોઈ સભા પૂર્વે કદી જોઈ છે? (9)

Jun 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-219

તમે જ્ઞાતિજનોને,ગુરુઓને,વૃદ્ધોને,દેવતાઓને,તપસ્વીઓને,ચૈત્યવૃક્ષોને ને બ્રાહ્મણોને નમન કરો છો ને?

હે નિષ્પાપ,તમે કોઈને શોક કે રોષ તો ઉપજાવતા નથી ને?પુરોહિત આદિ મંગલકારી માણસો સદા તમારી પાસે રહે છે ને? આવરદા ને યશ વધારનારી,તેમ જ ધર્મ,અર્થ કામ દર્શાવનારી આ જે બુદ્ધિ અને વૃત્તિ કહી,તેવી જ તમારી વૃત્તિ ને બુદ્ધિ છે ને? આવી બુદ્ધિથી વર્તનાર રાજાનો દેશ કોઈ પણ કાળે દુઃખમાં પડતો નથી,

તે રાજા પૃથ્વી પર જય મેળવીને પરમ સુખ ભોગવે છે.(106)

Jun 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-218

વિદ્યાવાન,વિનયવાન,અને જ્ઞાનકુશળ માણસોને તમે ગુણ પ્રમાણે યોગ્ય દાન સત્કાર કરો છો ને?

હે ભરતોત્તમ,તમારા માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલા માણસોની સ્ત્રીઓનું તમે ભરણપોષણ કરો છો ને? ભયવાળા,શક્તિહીન થયેલ,શરણે આવેલ અને યુદ્ધમાં હારેલા શત્રુને તમે પુત્રની જેમ પાળો છો ને?

શત્રુને સ્ત્રી,જુગાર આદિ દશ વ્યસનોમાં પડેલો જોઈને,તમારા મંત્ર,ભંડાર ને ઉત્સાહ- એ ત્રણ બળ પર વિચાર કરીને,જો તે દુર્બળ હોય તો તેના પર. તમે વેગપૂર્વક આક્રમણ કરો છો ને? હે પરંતપ,શત્રુ રાજ્યના મોટામોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો ને? (62)

Jun 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-217


 તમે મિત્રો,ઉદાસીનો અને શત્રુઓ,શું કરવા ઈચ્છે છે તે જાણો છો ને? તમે યોગ્ય વખતે સંધિ ને વિગ્રહ કરો છો ને?

ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?

ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)

Jun 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-216

લોકપાલ સભાખ્યાન પર્વ 

(નોંધ-અધ્યાય-5 થી 11-માં નારદજીએ રાજધર્મ અને વિવિધ સભાઓની વાત કરી છે,કે જે એક ઉપાખ્યાન સમાન જ છે-અનિલ)

અધ્યાય-૫-નારદે ઉપદેશેલો રાજધર્મ 

II वैशंपायन उवाच II अथ तत्रोपविष्टेपु पाण्डवेपु महात्मसु I महत्सु चोपविष्टेपु गन्धर्वेपु च भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,મહત્તમ પાંડવો અને ગંધર્વો એકવાર સભામાં બેઠા હતા,ત્યારે વેદો ને ઉપનિષદોને જાણનારા,દેવતાઓના સમુહોથી પૂજા પામેલા ને ઇતિહાસ-પુરાણમાં વિદ્વાન નારદ ત્યાં આવ્યા.

તે ઋષિ,પુરાકલ્પોને (અનેકોનું જેમાં ઉપાખ્યાન હોય તે વેદમાં પુરાકલ્પ કહેવાય છે) તથા 

વિશેષોને (જેમાં એક વ્યક્તિનું ઉપાખ્યાન હોય તેને વેદમાં વિશેષ કે પરિકૃત્ય કહે છે) જાણનારા હતા.(1-2)

Jun 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-215

અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ 


II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.

હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

Jun 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-214

અધ્યાય-૩-દિવ્યસભાનું નિર્માણ 

II वैशंपायन उवाच II अथाब्रवीन्मय: पार्थमर्जुनं जायतां वरम् I आप्रुच्छे त्यांगमिप्यामि पुनरेष्यामि चाप्यहम II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,મયે અર્જુનને કહ્યું કે-તમે રજા આપો તો હું હમણાં મૈનાક પર્વત પર જઈને તરત જ પાછો આવું,કેમ કે કૈલાશની ઉત્તરે આવેલા એ મૈનાક પર્વત પર પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા ત્યારે,મેં બિંદુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય,મણિમય પાત્ર બનાવ્યું હતું,ને પછી તે વૃષપર્વાની સભામાં મૂક્યું હતું,

તે લઈને હું પાછો આવીશ અને સર્વ રત્નોથી વિભૂષિત થયેલી એક વિચિત્ર સભા હું અહીં બનાવીશ.

Jun 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-213

અધ્યાય-૨-શ્રીકૃષ્ણનું દ્વારકાગમન 

II वैशंपायन उवाच II उपित्वा खाण्डवप्रस्थे सुखवासं जनार्दनः I पाथै: प्रीतिसमायुक्तै: पुजनार्होSभिपूजितः II १ II

વૈશંપાયન બોલ્યા-'હવે,પૂજનીય જનાર્દને,પ્રીતિયુક્ત પાંડવો સાથે વાસ કરીને તથા તેમનાથી સત્કાર પામતા રહીને,પિતાના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવાનો નિર્ણય કર્યો.તેમણે ધર્મરાજ અને કુંતીની આજ્ઞા લીધી,ને ફોઈ કુંતીના ચરણમાં મસ્તક ઢાળી પ્રણામ કર્યા.પછી તે ભગિની સુભદ્રાને મળ્યા,ત્યારે સુભદ્રાએ,વારંવાર શિર નમાવી નમસ્કાર કર્યા ને સ્વજનોને ઉદ્દેશીને કુશળ સમાચાર કહેવડાવ્યા.ત્યારે બાદ,દ્રૌપદી અને ધૌમ્યને મળીને,

અર્જુન અને ભાઈઓ પાસે આવ્યા,ત્યારે પાંચે પાંડવો તેમને વીંટળાઈને તેમને ભેટી રહ્યા.