અધ્યાય-31-સહદેવનો દિગ્વિજય
II वैशंपायन उवाच II तथैव सह्देवोSपि धर्मराजेन पूजितः I महत्या सेनय राजन् प्रपयौ दक्षिणां दिशम् II १ II
વૈશંપાયન બોલ્યા-એ જ પ્રમાણે,ધર્મરાજથી સત્કાર પામેલો સહદેવ,મહાન સેનાએ સાથે દક્ષિણ દિશામાં વિજય માટે ગયો.તેણે,પ્રથમ શૂરસેનોને અને પછી મત્સ્યરાજને જીત્યા.ને પછી દંતવક્રને જીતી તેના પર ખંડણી બેસાડી તેને રાજ્ય પર પુનઃ સ્થાપિત કર્યો.ત્યારબાદ તેણે,સુકુમાર ને સુમિત્ર નરેશને,શ્રોણિમાન રાજાને,કુંતીભોજને,
જંભકપુત્રને,સેકો ને અપરસિકોને,વિન્દ ને અનુવવિન્દને,ભીષ્મકને,કોશલદેશના ને પૂર્વકોશલદેશના રાજાઓને,
નાટ્કેયો ને હેરમ્બકોને,મારૂધને,રમ્યગ્રામને,નચીન ને અર્બુદનાં રાજાઓને,વાતાધિપ રાજાને,પુલિંદોને,અને
અરણ્યમાં વસતા સર્વ રાજાઓને જીતીને તેમની પાસેથી કર લીધા.