Jul 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-242

અધ્યાય-31-સહદેવનો દિગ્વિજય 

II वैशंपायन उवाच II तथैव सह्देवोSपि धर्मराजेन पूजितः I महत्या सेनय राजन् प्रपयौ दक्षिणां दिशम् II १ II

વૈશંપાયન બોલ્યા-એ જ પ્રમાણે,ધર્મરાજથી સત્કાર પામેલો સહદેવ,મહાન સેનાએ સાથે દક્ષિણ દિશામાં વિજય માટે ગયો.તેણે,પ્રથમ શૂરસેનોને અને પછી મત્સ્યરાજને જીત્યા.ને પછી દંતવક્રને જીતી તેના પર ખંડણી બેસાડી તેને રાજ્ય પર પુનઃ સ્થાપિત કર્યો.ત્યારબાદ તેણે,સુકુમાર ને સુમિત્ર નરેશને,શ્રોણિમાન રાજાને,કુંતીભોજને,

જંભકપુત્રને,સેકો ને અપરસિકોને,વિન્દ ને અનુવવિન્દને,ભીષ્મકને,કોશલદેશના ને પૂર્વકોશલદેશના રાજાઓને,

નાટ્કેયો ને હેરમ્બકોને,મારૂધને,રમ્યગ્રામને,નચીન ને અર્બુદનાં રાજાઓને,વાતાધિપ રાજાને,પુલિંદોને,અને 

અરણ્યમાં વસતા સર્વ રાજાઓને જીતીને તેમની પાસેથી કર લીધા.

Jul 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-241

અધ્યાય-૨૯-ભીમસેનનો દિગ્વિજય 

II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले भीमसेनोSपिविर्यवान धर्मराजमनुज्ञाप्य ययौ प्राचीं दिशं प्रति II १ II

વૈશંપાયન બોલ્યા-એ વખતે,શત્રુઓના શોકને વધારનારો,ભરતવંશીઓમાં સિંહ સમાન,પ્રતાપી ને વીર્યવાન,ભીમસેન પણ,ધર્મરાજની આજ્ઞા લઈને,શત્રુ રાજ્યોનું મર્દન કરવા,હાથી,ઘોડા તથા રથોથી ભરેલા અને બખ્તરોથી સજેલા મહાન સેનાચક્ર સાથે પૂર્વ દિશા તરફ વિજય માટે નીકળ્યો હતો.પ્રથમ પાંચાલોને મળી,

તેને ગંડકો,વિદેહો ને દશાર્ણકો પર જય મેળવ્યો.દશાર્ણક ના રાજા સુધર્માએ ભીમસેન સાથે,હથિયાર વિનાનું રોમાંચ

ખડાં કરે તેવું અદભુત યુદ્ધ કર્યું,તેનું તે કર્મ જોઈને તે સુધર્માને,ભીમે,પોતાનો સેનાપતિ બનાવ્યો.

Jul 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-240

 
અધ્યાય-૨૭-અર્જુને કરેલો દિગ્વિજય 

II वैशंपायन उवाच II एवमुक्त: प्रन्युवाच भगदत्तं धनंजयः I अनेनैव कृतं सर्वं मपिष्यत्यनुजानता II १ II

વૈશંપાયન બોલ્યા-ભગદત્તે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે અર્જુને કહ્યું-'તમે કર આપવાની વાતને જે સંમતિ આપી છે એટલે તમે બધું જ કર્યું ગણાશે' આમ,ભગદત્તને જીતીને ત્યાંથી અર્જુન,કુબેરે જીતેલી ઉત્તરદિશા તરફ ચાલ્યો.

ત્યાં,અંતરગિરી,બહિરગિરી,ને ઉપગિરી આદિ સર્વ પર્વતોને જીતીને ત્યાંના સર્વ રાજાઓને વશ કર્યા,ને તે 

સર્વ પાસેથી ધનસંગ્રહ લીધો.પછી,તે રાજાઓને પ્રસન્ન કરીને તેમને સાથે લઈને,તેણે ઉલૂકદેશના બૃહન્ત રાજા પર ચડાઈ કરી,બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું,પણ અંતે બૃહન્ત,કુન્તીપુત્રને અસાધ્ય માનીને,સર્વ પ્રકારનાં રત્નો લઈને,

અર્જુનને શરણે આવ્યો.કર લઈને,અર્જુને તેને તેના રાજ્યમાં સ્થિર કર્યો.(10)

Jul 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-239

દિગ્વિજય પર્વ 

અધ્યાય-૨૫-દિગ્વિજયનું સંક્ષિપ્ત વર્ણન 

II वैशंपायन उवाच II प्रार्थः प्राप्य धनुः श्रेष्ठमक्षय्यो च महेपुधि I रथं ध्वजं समां चैव युधिष्ठिरम मापत II १ II

વૈશંપાયન બોલ્યા-ઉત્તમ ધનુષ્ય,બે અક્ષય ભાથા,રથ,ધજા ને સભા પ્રાપ્ત કરીને અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-

'હે રાજન,ધનુષ્ય,અસ્ત્રો,બાણો,શક્તિ,પક્ષ,ભૂમિ,યશ અને બળ-એ બધી મારી મનગમતી વસ્તુઓ દુર્લભ હોવા છતાં મને મળી છે,આથી હવે મને લાગે છે કે-ભંડારમાં ભરતી લાવવી જોઈએ.હે રાજન,હું સર્વ રાજાઓ પાસેથી કર ઉઘરાવીશ.ને હવે શુભ તિથિ,મુહૂર્ત ને નક્ષત્ર હું કુબેરે રક્ષેલી ઉત્તર દિશા તરફ વિજયપ્રસ્થાન કરવાનું વિચારું છું.

Jul 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-238

અધ્યાય-૨૪-જરાસંઘનો વધ 

II वैशंपायन उवाच II भीमसेनस्तत: कृष्णमुवाच यदुनंदनम I बुध्धिमास्थाय विपुलां जरासंघश्चवधेप्सया  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીમસેને પોતાની વિશાલ બુદ્ધિનો સહારો લઈને,જરાસંઘના વધની ઈચ્છાથી,

શ્રીકૃષ્ણને કહ્યું કે-'આ જરાસંઘે,લંગોટથી પોતાની કમર ખૂબ જ કસી લીધી છે,આ પાપીના પ્રાણ મારા વશમાં આવે તેમ મને લાગતું નથી'ત્યારે શ્રીકૃષ્ણે ભીમસેનને ઉત્તેજિત કરતાં કહ્યું કે-'હે ભીમ તારું જે સર્વોત્કૃષ્ટ દૈવી સ્વરૂપ છે,તે અને વાયુદેવતાએ તને જે બળ આપ્યું છે,તેનો હવે આજે જરાસંઘ પર ઉપયોગ કરી બતાવ.

Jul 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-237

 
અધ્યાય-ભીમ સાથે યુદ્ધમાં જરાસંઘને થાક 

II वैशंपायन उवाच II ततस्तं निश्चितात्मानं युद्धाय यदुनन्दनः I उवाच वाग्मी राजानं जरासंघमधोंक्षज  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,યુદ્ધને માટે નિશ્ચિત મનવાળા થયેલા જરાસંઘ રાજાને,વાણીમાં કુશળ શ્રીકૃષ્ણે કહ્યું કે-

'હે રાજન,ત્રણમાંથી કયા એકની સાથે તારું મન ઉત્સાહ ધરે છે? અમારામાંથી કોણ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય?' ત્યારે જરાસંઘે,ભીમસેનની સાથે ગદાયુદ્ધ માગી લીધું.એટલે તે વખતે,ગોરોચન,માળાઓ,મંગલ પદાર્થો,

મુખ્ય ઔષધિઓ ને ભાન લાવનારાં સાધનો લઈને પુરોહિત ત્યાં જરાસંઘ પાસે આવ્યો.તે બ્રાહ્મણે રાજાને

સ્વસ્તિવાચન કર્યું,એટલે ક્ષાત્રધર્મને સંભારતો જરાસંઘ યુદ્ધ માટે તૈયાર થયો.(5)

Jul 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-236

 
અધ્યાય-૨૨-જરાસંઘની યુદ્ધ માટેની તૈયારી 

II जरासंघ उवाच II न स्मरामि कदा वैरं कृतं युष्माभिरिव्युत I चिंतयश्च न पश्यामि भवतां प्रति विकृतं II १ II

જરાસંઘ બોલ્યો-મને સાંભરતું નથી કે મેં તમારી સાથે વેર કર્યું હોય,કે તમારું ભૂંડું કર્યું હોય.તો મને વિના અપરાધીને શા માટે તમે શત્રુ માનો છો? તે મને કહો.કેમ કે સત્પુરુષોનો આ નિયમ છે.

ધર્માર્થ પર આઘાત થવાથી મન ઉકળી ઉઠે છે કેમ કે જે ક્ષત્રિય ધર્મજ્ઞ ને મહારથી હોવા છતાં,નિર્દોષને બટ્ટો લગાવે છે,તે નિઃસંશય આ લીકમાં વિપરીત આચરણ કરીને પાપીઓની ગતિને પામે છે.ત્રણે લોકમાં સદાચારીઓ માટે ક્ષત્રિય ધર્મ કલ્યાણકારી છે,ધર્મને જાણનારા મનુષ્યો તો બીજા ધર્મની પ્રશંસા કરતા નથી,હું પોતે સ્વધર્મમાં નિયમ પરાયણ છું,પ્રજા પ્રત્યે હું નિર્દોષ છું,છતાં તમે મારી આગળ આજે જાણે પ્રમાદમાં બડબડાટ કરો છો.(6)

Jul 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-235

અધ્યાય-૨૧-શ્રીકૃષ્ણ અને જરાસંઘનો સંવાદ 

II वासुदेव उवाच II एष पार्थ महान् भाति पशुमान्नित्यIमंब्रुमान I निरामयः स्वेश्माल्यो निवेशो मागधः शुभः II १ II

વાસુદેવ બોલ્યા-હે પૃથાનંદન,પશુઓથી ભરેલા,નિત્ય પાણીથી પૂર્ણ,ઉપદ્રવ વિનાના અને સુભવનથી સમૃદ્ધ,

આ શુભ અને મહાન મગધદેશનો સીમાડો શોભે છે.એકમેકના અંગરૂપે જોડાયેલા શૈલ,વરાહ,વૃષભાચલ,

ઋષિગિરિ અને ઐત્યક-એ મહાશિખરવાળા વારવાતો,જાણે કે સાથે રહીને ગિરિવ્રજનું રક્ષણ કરી રહ્યા છે.

અહીં,ગૌતમમુનિએ,ઔશીનરી નામની ક્ષુદ્રામાં કાક્ષીવાન આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.શુદ્ર સ્ત્રીને પેટે જન્મેલા હોવા છતાં,તે કાક્ષીવાન-આદિના વંશજો,ગૌતમના ઐશ્વર્ય વડે મગધદેશના રાજાઓ ગણાય છે.(6)

Jul 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-234

જરાસંઘ પર્વ

અધ્યાય-૨૦-જરાસંઘના વધ માટે શ્રીકૃષ્ણ-આદિનું મગધમાં જવું 

II वासुदेव उवाच II पतितौ हंसडिंमकौ कंसश्च सगणो हतः I जरासंघस्य निधने कालोSयं समुपागत II १ II

વાસુદેવ બોલ્યા-હવે,હંસ અને ડિમ્બક માર્યા ગયા છે ને કંસ પણ તેના અનુચરો સાથે હણાયો છે,એટલે જરાસંઘના વધનો સમય આવી ગયો છે.સર્વ સૂરો ને અસુરો પણ એને રણમાં જીતી શકે તેમ ન હોવાથી એને દેહબલ વડે દ્વંદ્વ યુદ્ધથી જીતવો જોઈએ એવું મને લાગે છે.મારામાં નીતિ છે,ભીમમાં બળ છે અને અર્જુન અમારા બે નું રક્ષણ કરનાર છે,એટલે જેમ,ત્રણ અગ્નિઓ યજ્ઞને સિદ્ધ કરે છે તેમ,અમે ત્રણ એ મગધરાજને પૂરો કરીશું.(4)

Jul 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-233

 
અધ્યાય-૧૯-જરાસંઘની પ્રશંસા 

II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.

તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.

પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.

રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-

તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.

Jul 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-232

અધ્યાય-૧૮-જરા રાક્ષસીનું આત્મકથન 

II राक्षस्युवाच II जरानास्मि भद्रं ते राक्षसी कामरूपिणी I तव वेश्मनि राजद्र पूजिता न्यवसं सुखम् II १ II

રાક્ષસી બોલી-હે રાજેન્દ્ર,તમારું મંગલ થાઓ,ઇચ્છારૂપ ધારણ કરનારી હું જરા નામે રાક્ષસી છું ને તમારા ભવનમાં સુખપૂર્વક અને પૂજાસહિત રહું છું.હું મનુષ્યોને ઘેરઘેર ગૃહદેવીને નામે રાહુ છું,પૂર્વે મને બ્રહ્માએ ઉત્પન્ન કરી છે.

મને દિવ્યરૂપવતીને દાનવોના વિનાશ માટે સ્થાપવામાં આવી છે.પુત્રવતી ને યૌવનભરી એવી મારી પ્રતિમાને જે ભક્તિપૂર્વક દીવાલ પર આલેખે છે તેના ઘરમાં મંગલવૃદ્ધિ થાય છે.અને તેમ કરે નહિ તો તેનો વિનાશ થાય છે.

Jul 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-231

અધ્યાય-૧૭-જરાસંઘની ઉત્પત્તિ કથા 

II वासुदेव उवाच II जातस्य भरते वंशे तथा कृन्त्याः सुतस्य च I या वै युक्त्वा मतिः सेयमर्जुनेन प्रदर्शिता II १ II

વાસુદેવ બોલ્યા-ભરતવંશમાં ને કુંતીના કુખે જન્મેલા અર્જુને જે આ વિચાર બતાવ્યો તે યોગ્ય છે.આપણે રાતે કે દિવસે ક્યાંય મૃત્યુને જોતા નથી,તેમ આપણે સાંભળ્યું પણ નથી કે યુદ્ધ ન કરીને કોઈ અમર થયો હોય.

તેથી પુરુષે હૃદયના સંતોષ માટે પણ આમ કરવું જ જોઈએ.ને વિધિપૂર્વક શાસ્ત્રનીતિ પ્રમાણે શત્રુ પર ચડાઈ કરવી જોઈએ,સુનીતિ અને અનુકૂળતા-એ બંનેનો સંયોગ થતા કાર્યની પરમસિદ્ધિ થાય છે.ને વિજય મળે છે,પણ,

નીતિ વિનાના અને યોગ્ય ઉપાયો વિનાના યુદ્ધમાં ભારે ક્ષય થાય છે,વળી,જો  બંને પક્ષ,જો સમાન રીતે ન્યાયથી યુદ્ધ કરે,તો બંનેના વિજય બાબતમાં સંશય રહે છે,ને કોઈનો વિજય થતો નથી.(5)

Jul 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-230

અધ્યાય-૧૬-જરાસંઘના વધ વિશે મંત્રણા 

II युधिष्ठिर उवाच II सम्राटSगुणमभिप्स्न्यै युष्मान् स्वार्थपरायणः I कथं प्रहिणुयां कृष्ण सोहं केवलसाहसात II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રીકૃષ્ણ,ચક્રવર્તીના ગુણો સંપાદન કરવાની ઈચ્છાથી સ્વાર્થપરાયણ થઈને,હું કેવી રીતે તમને જરાસંઘનો નાશ કરવા મોકલું? તમને તો હું મારુ મન માનું છું,ને ભીમ ને અર્જુન તો મારે મન બે નેત્ર જેવા છે,

એટલે જો મન અને નેત્રો નાશ પામે તો હું કેવી રીતે જીવતર જીવું? એ ભયંકર પરાક્રમવાળા ને સહેજે પાર ન પામી શકાય તેવા જરાસંઘના સૈન્યનો ભેટો પામી યમરાજ પણ યુદ્ધમાં વિજય મેળવી શકે તેમ નથી,આવા અનિષ્ટ ફળવાળા કાર્યમાં હાથ નાંખનારનો અનર્થ થાય છે,એટલે આ કાર્ય ન કરવું મને વધારે યોગ્ય લાગે છે.(6)

Jul 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-229

અધ્યાય-૧૫-યુધિષ્ઠિરનાં વચન 

II युधिष्ठिर उवाच II उक्तं त्वया बुध्धिमता यन्नान्योवक्तुमर्हति I संशयानां हि निर्मोक्ता त्वन्नानयो विद्यते भ्रुवि II १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે બુધ્ધિમાને જે કહ્યું તે બીજો કોઈ કહી શકશે નહિ,પૃથ્વી પર સંશયનું નિવારણ કરનાર 

તમારા જેવો બીજો કોઈ નથી.હે મહાભાગ,અમે પણ જરાસંઘના ભયથી ને તેની દુષ્ટતાથી શંકાશીલ છીએ,

હે સમર્થ,હું તો તમારા ભુજબળના આશ્રયે છું,અને તમે જ જરાસંઘથી શંકાવાળા હો,તો પછી હું પોતાને બળવાન કેમ માનું? એ જરાસંઘ,તમારાથી,બલરામથી,ભીમસેનથી અને અર્જુનથી મરાય તેમ નથી,એમ મેં જ્યારથી સાંભળ્યું છે,ત્યારથી હું ફરીફરી વિચાર કરું છું.અમારા તમે જ સર્વ કાર્યોમાં તમે જ પ્રમાણરૂપ છો.(10)

Jul 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-228

 
અધ્યાય-૧૪-શ્રીકૃષ્ણનાં વચન 

II श्रीकृष्ण उवाच II सर्वैर्गुणैर्महारज राजसूयं त्वमर्हसि I जानतस्त्वैव ते सर्गः किंचिद्वक्ष्यामि भारत II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહારાજ,તમે સર્વ ગુણોથી રાજસૂય યજ્ઞ કરવા યોગ્ય છો,(આ બાબતે) તમે સર્વ જાણો છો,છતાં (આ વિષય પર) તમને હું કંઈક કહીશ.જમદગ્નિપુત્ર પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો,તેમાં જે ક્ષત્રિયો બચી ગયા હતા,તેઓ,પૂર્વના ક્ષત્રિયો કરતાં ઉતરતા છે.હાલ આ સંસારમાં નામમાત્રના ક્ષત્રિયો રહી ગયા છે.

તે ક્ષત્રિયોએ,એકઠા મળીને પોતાના કુળ માટે એવો સંકલ્પ કર્યો છે કે-આપણામાં જે કોઈ એક પુરુષ સર્વનો પરાજય કરે તેને ચક્રવર્તી રાજા જાણવો.આ વાત તો તમે જાણતા જ હશો (3)