સર્વને સ્ફુરણ તથા સત્તા આપનારું -જે બહાર પ્રકાશતું-રૂપ છે-એ જ પરમ-દેવ (પરમાત્મા) કહેવાય છે.
એ ચૈતન્યની વધારે "શક્તિ" ખીલવાથી જ વિષ્ણુ,શિવ,બ્રહ્મા-વગેરે પુરુષો દેવતાઓ ગણાય છે.
પણ,એ પરમાત્મા (બ્રહ્મ કે ચૈતન્ય) સર્વ-વ્યાપક,સઘળાં વ્યષ્ટિ ચૈતન્યોની ખાણ-રૂપ દેવતાઓને પણ સત્તા આપનાર,સર્વ દેવતાઓના ધ્યેય અને પરમ-ધામના અધ્યક્ષ (મુખ્ય-પરમ-દેવ) છે.