Aug 2, 2019

ભાગવત રહસ્ય-૨૫

ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.

Aug 1, 2019

ભાગવત રહસ્ય-૨૪

ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.

Jul 31, 2019

ભાગવત રહસ્ય-૨3

સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે