Jul 18, 2020

ભાગવત રહસ્ય -૩૩૫

જગત રહેવાનું,જગતના વિષયો રહેવાના,શરીર રહેવાનું અને મન પણ રહેવાનું.
એટલે મહાત્માઓ કહે છે-કે-“જગતને છોડી ને ક્યાં જશો ? જગતમાં રહો, પણ જગત ને ભગવદ-દૃષ્ટિથી જુઓ.” પણ અજ્ઞાનીઓ જગતને ભોગ-દૃષ્ટિથી જુએ છે,લૌકિક (જગતના) નામરૂપમાં આસક્તિ તે માયા અને અલૌકિક (ઈશ્વરના) નામરૂપમાં આસક્તિ તે ભક્તિ.જગતમાં ભગવદ-ભાવના રાખ્યા વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.દશમ સ્કંધમાં નિરોધ લીલા છે.સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે.

Jul 17, 2020

ભાગવત રહસ્ય -૩૩૪

કનૈયા ના આવા તોફાનો જોઈને છેવટે ગોપીઓએ યશોદાજીને કહ્યું કે-મા.તમે ગણપતિની બાધા રાખો,ગણપતિ બુદ્ધિ-સિદ્ધિના માલિક દેવ છે.તે કનૈયાની બુદ્ધિ સુધારશે.એટલે યશોદાજીએ ગણપતિ ની બાધા રાખી છે.કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે.એટલે મંડળીના બધાં બાળકોને કહ્યું કે-આપણે હમણાં કોઈ પ્રવૃત્તિ કરવી નથી.લાલો હવે ઘરની બહાર પણ નીકળતો નથી.યશોદા માને છે કે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે.

Jul 16, 2020

ભાગવત રહસ્ય -૩૩૩

પ્રભાવતીના આ દ્રષ્ટાંત પાછળ રહસ્ય છે.પ્રભાવતી અભિમાની છે,હાથમાં શ્રીકૃષ્ણ છે,અને અક્કડમાં ચાલે છે.ઘમંડવાળી બુદ્ધિ પ્રભાવતી છે.એવી સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી,બુદ્ધિ નિષ્કામ બને તો જ ઈશ્વરને પકડી શકે છે.
હાથમાં પરમાત્મા આવ્યા પછી,પણ ભક્તિ ચાલુ રાખવી જોઈએ.લાલાને પકડ્યા પછી લાલાનું ચિંતન કરવાનું. પોતાનું નહિ.પ્રભાવતીએ પોતાનું ચિંતન કર્યું.ઈશ્વર હાથમાં આવ્યા પછી અભિમાન થાય કે ઈશ્વર મારા હાથમાં છે,તો ઈશ્વર છટકી જાય છે.પરમાત્મા મળે,છતાં સંત માને છે કે હજુ ભગવાન મળ્યા નથી,મારે હજુ ખૂબ ભજન કરવાનું છે.