Jul 23, 2020

ભાગવત રહસ્ય -૩૪૦

મનુષ્યનું બંધન આ વાનર જેવું છે.મનુષ્યને કોણે બાંધ્યો છે ? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી,પણ અજ્ઞાનથી-આસક્તિવશ થઇ તે માને છે કે હું બંધાયેલો છું.જીવ પરમાત્મા નો અંશ છે,તેને કોઈ બાંધી શકે જ નહિ.પણ અજ્ઞાનથી-આસક્તિથી બંધન લાગે છે.
અજ્ઞાનનો-ઉપાધિ નો- નાશ થયો,એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી-હાંડલીમાં વિષયો-રૂપી-ચણા ભર્યા છે,ચણાને પકડે નહિ તો,જીવ છુટો જ છે.

Jul 22, 2020

ભાગવત રહસ્ય -૩૩૯

અદ્વૈત મત કે દ્વૈત મત –ગમે તે મતને માનો.પણ જીવ ઈશ્વરરૂપ છે,ઈશ્વરનો અંશ છે,
અને માયા તેને બાંધે છે તે હકીકત છે.માયાને સત્ કે અસત્ કંઈ પણ કહી શકાતી નથી.મહાત્માઓ કહે છે કે-સ્વપ્નમાંથી જાગ્યા ના હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું લાગે છે,પણ જેવા સ્વપ્નમાંથી જાગ્યા -કે સ્વપ્ન અસત્ય છે.માયામાંથી પણ ના જાગો ત્યાં સુધી તે સત્ય જેવી અને જાગો એટલે તે અસત્ય છે.તેની જરૂર ખાત્રી થશે.

Jul 21, 2020

ભાગવત રહસ્ય -૩૩૮

શંકરાચાર્ય ગીતાના શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે-જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી.જીવ ઈશ્વરનો અંશ ના હોઈ શકે,કારણ ઈશ્વરના ટુકડા થઇ શકે નહિ.
આત્મા ને પરમાત્મા એક જ છે.ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. જીવ અને ઈશ્વર એક જ છે.પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી (અવિદ્યાથી) ભાસે છે.આ ભેદ એ ઔપાધિક ભેદ છે.ઉપાધિ થી (માયાથી) ભેદ ભાસે છે,પણ તત્વ-દૃષ્ટિથી ભેદ નથી.