Apr 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૭

ગુણોનાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે.
(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્માને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછીના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીરમાં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવને -શરીરની મમતા કે
“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.

Apr 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-7


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૬-અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ

અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા)નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંનેના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણોના 
આગ્રહથી જ પુરુષ (પરમાત્મા-આત્મા) સંસારમાં નિમગ્ન થાય છે. 
માયા (પ્રકૃતિ)ની ઉપાધિથી જ સુખ-દુઃખના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.