કથા શ્રવણથી જેમ,પરીક્ષિતના મૃત્યુનો ભય ટળી ગયો હતો,તેમ રામ-કથા સાંભળવાથી પણ મૃત્યુનો ભય ટળે છે.ભગવાને ગીતાજીમાં દૈવી ગુણોની વ્યાખ્યા આપી છે,તેમાં સહુથી પહેલું સ્થાન અભયને આપ્યું છે.જેણે અભય સિદ્ધ કર્યો તે બચી ગયો,તે અમર થઇ ગયો.
વેદાંતાધિકાર સર્વને નથી.સાધન ચતુષ્ટ્ય ,નિત્યા-નિત્ય વિવેક,ષડસંપત્તિ.વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી.પણ કથાનો અધિકાર સર્વેને છે.જે ભગવદ કથાનો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદમાં બેસાડે છે.અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે.ધ્રુવજીની પેઠે મૃત્યુના માથા પર પગ મૂકીને તે નિર્ભય થઈને પ્રભુના ધામ માં જઈ શકે છે.
વેદાંતાધિકાર સર્વને નથી.સાધન ચતુષ્ટ્ય ,નિત્યા-નિત્ય વિવેક,ષડસંપત્તિ.વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી.પણ કથાનો અધિકાર સર્વેને છે.જે ભગવદ કથાનો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદમાં બેસાડે છે.અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે.ધ્રુવજીની પેઠે મૃત્યુના માથા પર પગ મૂકીને તે નિર્ભય થઈને પ્રભુના ધામ માં જઈ શકે છે.