અધ્યાય-૪૫-શિશુપાલનો વધ
II वैशंपायन उवाच II ततः श्रुन्वैवभीप्मस्य चेदिगडुरुविक्रमः I युयुन्सुर्वासुदेवेन वासुदेवगमुवाचह II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મનું આવું કહેવું સાંભળી,શિશુપાલે વાસુદેવ પ્રત્યે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે-'હે જનાર્દન,હું તમને યુદ્ધનું આહવાહન આપું છું,હું તને પાંડવો સાથે પૂરો કરી દઈશ.કેમ કે પાંડવોએ રાજાઓને ઉલ્લંઘીને રાજા નહિ એવા તને અર્ઘપૂજા આપી છે,એટલે તે પાંડવો પણ મારે હાથે હણાવા યોગ્ય જ છે'
આમ કહીને તે ક્રોધયુક્ત શિશુપાલ ઉભો થઈને શ્રીકૃષ્ણ સામે ગર્જતો રહ્યો.