II शकुनि उवाच II दुर्योधन न तेSमर्पः कार्यः प्रति युधिष्ठिरम् I भागवेयानि हि म्लानि पांडवा भुंजतेसदा II १ II
શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તારે યુધિષ્ઠિર બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી,કેમ કે પાંડવો સદૈવ પોતાના ભાગ્યને જ ભોગવે છે.પૂર્વે,તેં,એમના નાશ માટે અનેક ક્રિયાઓ કરી હતી,પણ તું એમનો નાશ કરી શક્યો નથી.
વળી,તેઓ દ્રૌપદીને પત્ની તરીકે પામ્યા છે,ને સાથે તેઓ પૃથ્વીજય મેળવવામાં સહાયભૂત થાય એવા દ્રુપદને,
તેના પુત્રોને ને વાસુદેવને તેમણે મેળવ્યા છે.કાર્યમાં નિરાશ ન થયેલા તે પાંડવોએ પોતાના પિતાના રાજ્યમાંથી
ભાગ મેળવ્યો છે ને પોતાના પ્રતાપથી તેને વધાર્યો છે,તો તેનો શોક શો? (5)