Aug 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-257

 
અધ્યાય-૪૮-શકુનિએ દુર્યોધનને આપેલું આશ્વાસન 

II शकुनि उवाच II दुर्योधन न तेSमर्पः कार्यः प्रति युधिष्ठिरम् I भागवेयानि हि म्लानि पांडवा भुंजतेसदा II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તારે યુધિષ્ઠિર બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી,કેમ કે પાંડવો સદૈવ પોતાના ભાગ્યને જ ભોગવે છે.પૂર્વે,તેં,એમના નાશ માટે અનેક ક્રિયાઓ કરી હતી,પણ તું એમનો નાશ કરી શક્યો નથી.

વળી,તેઓ દ્રૌપદીને પત્ની તરીકે પામ્યા છે,ને સાથે તેઓ પૃથ્વીજય મેળવવામાં સહાયભૂત થાય એવા દ્રુપદને,

તેના પુત્રોને ને વાસુદેવને તેમણે મેળવ્યા છે.કાર્યમાં નિરાશ ન થયેલા તે પાંડવોએ પોતાના પિતાના રાજ્યમાંથી  

ભાગ મેળવ્યો છે ને પોતાના પ્રતાપથી તેને વધાર્યો છે,તો તેનો શોક શો? (5)

Aug 1, 2023

Dongreji Ramyan Katha-Index Page-ડોંગરેજી રામાયણ કથા-અનુક્રમણિકા

 Click on the number to go to that video

01--02--03--04--05--6--7--8--9--10--11--12--13--14--15--16--END


Ramcharit manas-only chopai-full book-રામચરિત માનસ-માત્ર ચોપાઈ-ફુલ બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-256

 
અધ્યાય-૪૭-દુર્યોધનનો સંતાપ 

II वैशंपायन उवाच II वसन् दुर्योधनस्तस्यां सभायां पुरुषर्पम I शनैर्ददर्षतां सर्वा सभां शकुनिना सह II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,દુર્યોધન,તે વખતે મામા શકુનિ સાથે આખી સભાને ધીરે ધીરે જોઈ વળ્યો હતો.

પોતે પૂર્વે કદી નહિ જોયેલી,દિવ્ય સજાવટો તેણે તે સભામાં જોઈ.એક વાર જ્યાં સ્થળ હતું ત્યાં જળનો ભ્રમ થતાં,

તેણે પોતાના વસ્ત્રો ઊંચકી લીધાં,ને પોતે ભોંઠો પડી ગયો,ને બીજી વખતે જ્યાં જળ હતું ત્યાં સ્થળનો ભ્રમ થતાં,

તે પાણીમાં પડી ગયો.તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન અને ભાઈઓ હસી પડ્યા,ને તેને નવાં વસ્ત્રો આપ્યાં.

પણ,તેમને હસતા જોઈને ચિડાઈ ગયેલો દુર્યોધન તેમને હસતા સાંખી શક્યો નહિ.(9)

Jul 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-255

 
દ્યુત પર્વ 

અધ્યાય-૪૬-વ્યાસનું સૂચન અને યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા 

II वैशंपायन उवाच II समाप्ते राजसूये तु ऋतुश्रेष्ठे सुदुर्लभे I शिष्यै परिवृतो व्यासः पुरस्तान्समपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-અતિ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે,શિષ્યોથી ઘેરાયેલા વ્યાસજી,યુધિષ્ઠિર પાસે આવ્યા.તેમને આવતા જોઈ,યુધિષ્ઠિર આસન પરથી એકદમ ઉભા થઇ,તેમને સામે લેવા ગયા,ને તેમને પાદ્ય-આસન આપીને તેમનું પૂજન કર્યું.સુવર્ણના આસન પર વિરાજીને વ્યાસજી બોલ્યા-'હે કુંતીનંદન,આનંદની વાત છે કે -દુર્લભ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારી વૃદ્ધિ થાય છે,તેં સર્વ કૃરૂઓને ચડતી અપાવી છે.હવે હું તારી રજા માગું છું,હું અહીંથી કૈલાસ તરફ જવા માગું છું'  ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે -