II वासुदेव उवाच II नैतरकृच्छमनुप्राप्तो भवान्स्याद्वसुधाधिप I यद्यहं द्वारकायां राजन्सत्रिहित: पुरा II १ II
વાસુદેવ બોલ્યા-હે વસુધાપતિ યુધિષ્ઠિરરાજ,હું જો પૂર્વે દ્વારકામાં હાજર હોત,તો તમને આ દુઃખ આવત નહિ.
ધૃતરાષ્ટ્ર,દુર્યોધન અને બીજા કૌરવોના આમંત્રણ વગર પણ હું દ્યુતસભામાં આવ્યો હોત,તો અનેક દોષો બતાવીને મેં જુગટાને ખાળ્યું હોત.ધૃતરાષ્ટ્રને હું કહેત કે-'તમારા પુત્રોનો આ જુગાર હવે બસ થાઓ' જે દોષોથી તેઓ અવળી દશામાં આવી પડયા,ને જે દોષોને લીધે પૂર્વે નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયા હતા તે હું ત્યાં બતાવી આપત.
જુગારથી કલ્પનામાં ન હોય તેવો વિનાશ આવે છે,ને તેથી થતી સતત દોષધારા હું વર્ણવત.(6)