Jul 6, 2021

Gujarati-Ramayan-Rahasya-07-ગુજરાતી-રામાયણ-રહસ્ય-07

ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને પોતાનામાં જ પરમાત્માનો અનુભવ કરે છે, અને “ હું જ કૃષ્ણ છું” એમ કહે છે.જ્ઞાની ઉદ્ધવ જયારે ગોપીઓને આશ્વાસન આપવા મથુરાથી ગોકુલ જાય છે,ત્યારે ગોપીઓ કહે છે કે-વિરહ છે જ ક્યાં ?કૃષ્ણ મથુરા ગયા જ નથી તે તો અમારા અંતરમાં જ કાયમ માટે વિરાજમાન છે. ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ છે.સર્વ જગત તેમના માટે કૃષ્ણમય બન્યું છે.

Jul 5, 2021

Gujarati-Ramayan-Rahasya-06-ગુજરાતી-રામાયણ-રહસ્ય-06

પાપ-પુણ્યને પ્રાણીઓ સમજી શકતા નથી. વાઘ-વરુ વગેરે જંગલી પ્રાણીઓ શિકાર કરીને જ જીવી શકે છે, તે તેમનો ધર્મ છે,માનવીનો ધર્મ હિંસાનો નહિ પણ અહિંસાનો છે.
બીજા જીવને દુઃખી કરી કે મારીને પોતે સુખી થવાનો વિચાર ખોટો છે.
રાવણ રાક્ષસ-કુળનો નહોતો,તે બ્રાહ્મણ-કુળમાં પેદા થયો હતો.બ્રાહ્મણ-કુળના સંસ્કાર બીજાને સુખી કરવાના છે, રાક્ષસ કુળના સંસ્કાર બીજાને દુઃખી કરવાના છે.
રાવણે બ્રાહ્મણના સંસ્કાર છોડ્યા તેથી તે રાક્ષસ ગણાયો.