Jul 9, 2021

Gujarati-Ramayan-Rahasya-10-ગુજરાતી-રામાયણ-રહસ્ય-10

મૃત્યુ સુધરે તેનું કે જેણે જીવનને સુધાર્યું છે.જેણે પળેપળનો સદુપયોગ કર્યો છે.
તન,મન,ધન,વાણી –વગેરે સર્વેનો જે સદુપયોગ કરે,અને પ્રભુના નામ(રામ-નામ) નો આશરો લે તેનું મરણ સુધરે છે.હરિનામ સિવાય મરણ ને સુધારવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી.

તરાપ મારવા ટાંપીને બેઠેલા કાળ (મૃત્યુ)નો મનમાં બરાબર ખ્યાલ રાખીને વ્યવહારની ક્રિયાઓ કરવાની છે.તેને માટે સ્મશાન વૈરાગ્ય પુરતો નથી,દૃઢ વૈરાગ્યની જરુર છે,
રોજ સ્મશાનમાં જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે.

Jul 8, 2021

Devi Apradh(Devyaaparadh)-Stotra -With Gujarati Font-Shloka & GujaratiTranslation)-દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર

Gujarati-Ramayan-Rahasya-09-ગુજરાતી-રામાયણ-રહસ્ય-09

ઈશ્વરનું “નામ” (રામ-નામ) એ મૃત્યુની –મૃત્યુના બીકની દવા (ઔષધિ) છે.
મૃત્યુ-રૂપી મહારોગની “રામ-બાણ” દવા (ઔષધિ-ઉપચાર) તે “રામ-નામ”

લોકો મૃત્યુને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુથી બીએ છે.મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.જેને પાપનો વિચાર પણ આવતો નથી,અને જેણે પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.

Jul 7, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-7


Gujarati-Ramayan-Rahasya-08-ગુજરાતી-રામાયણ-રહસ્ય-08

દુનિયાના સાધારણ વ્યવહારમાં સુખ-સમૃદ્ધિ (ધન-મકાન વગેરે) મળે,તેના માટે ભક્તિ કરવી –એ ભક્તિનો હેતુ ન હોવો જોઈએ.કારણ કે આવા દુન્યવી સુખો ક્ષણિક (નાશવંત) છે,આવે છે ને જાય છે.પણ ભક્તિનું ફળ અ-મૃત (ના મરે તેવો-નિત્ય-) આનંદ છે.તે આનંદ ક્ષણિક નથી.

મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠીને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.પરમાત્માને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધનથી મળતા નથી.પ્રભુને ધનની જરૂર નથી, લક્ષ્મીના પતિને ધનની શું જરૂર?