કઠોર વાણી ન બોલવી ને દુષ્ટની પૂજા ન કરવી-આ બે કર્મ કરનાર મનુષ્ય આ લોકમાં વિશેષ શોભે છે.
નિર્ધનને અનેક પદાર્થોની કામના અને અસમર્થનો ક્રોધ એ બંને શરીરને શોષી નાખનારા તીક્ષ્ણ કાંટા છે.
ગૃહસ્થ હોવા છતાં કાર્ય નહિ કરનાર અને સન્યાસી થઈને કાર્ય કરનાર,એ બંને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી.હે રાજન,સમર્થ,ક્ષમાવાન અને દરિદ્રી છતાં દાન દેનાર એ બંને પુરુષો સ્વર્ગની ઉપર રહે છે.
ન્યાયથી આવેલું દ્રવ્ય અપાપત્રને આપવું અને પાત્રને ન આપવું-એ દ્રવ્યના ઉપયોગમાં બે દોષ છે.
યોગયુક્ત સન્યાસી અને યુદ્ધમાં સન્મુખ રહીને મરનારો-એ બંને સૂર્યમંડળને ભેદીને ઉપર જાય છે (61)