અધ્યાય-૩૭-વિદુરનીતિ (ચાલુ)
II विदुर उवाच II सप्तदशेमान राजेन्द्र मनुः स्वायंभुवोब्रवीत I वैचित्रविर्य पुरुषानाकाशं मुष्टिभिर्न्घत :II १ II
વિદુર બોલ્યા-હે વિચિત્રવીર્યના પુત્ર,હે રાજેન્દ્ર,હવે પછી કહેલા સત્તર પુરુષોને સ્વાયંભુવ મનુએ,
મુષ્ટિથી આકાશને પ્રહાર કરનારા (અર્થાંત અતિમૂર્ખ) કહ્યા છે.
જે ઉપદેશ કરવા યોગ્ય ના હોય તેને ઉપદેશ કરનારો,અલ્પ લાભથી સંતોષ માનીને બેસી રહેનારો,પોતાના કાર્ય માટે વારંવાર શત્રુની સેવા કરનારો,સ્ત્રીઓને સાચવ્યા કરવાથી પોતાનું કલ્યાણ માનનારો,યાચના ન કરવા જેવાની યાચના કરનારો,બડાઈ માનનારો,સારા કુળમાં જન્મી અયોગ્ય કામ કરનારો,પોતે નિર્બળ છતાં બળવાનની સામે નિત્ય વેર રાખનારો,અશ્રધ્ધાળુને હિતની વાત કહેનારો,ન ઇચ્છવા જેવી વસ્તુની ઈચ્છા રાખનારો,સસરો હોઈને વહુની મશ્કરી કરનારો,વહુના પિતા વગેરેથી આપત્તિમાં રક્ષણ મેળવીને તેઓથી જ માનની ઈચ્છા રાખનારો,પરસ્ત્રીમાં બીજ વાવનારો,સ્ત્રીની સાથે વારંવાર લડાઈ કરનારો,વસ્તુ લીધા પછી 'મને યાદ નથી'તેમ કહેનારો,વાણીથી આપવાનું કહ્યા પછી યાચક યાચના કરે એટલે દાન આપ્યા વિના જ બડાઈ મારનારો,અને ખોટાને ખરું ઠરાવનારો-આ સત્તરને યમદૂતો નરકમાં લઇ જાય છે.(6)