Jan 25, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-723
અધ્યાય-૫૭-સંજયનું ભાષણ-પાંડવ પક્ષના યોદ્ધાઓનું વર્ણન
II धृतराष्ट्र उवाच II कांस्तत्र संजयापश्यः प्रित्यर्थेन समागतान् I ये योत्स्यते पाण्डवार्थे पुत्रस्य मम वाहिनीं II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પાંડવોને માટે મારા પુત્રની સેના સાથે યુદ્ધ કરે એવા કયા કયા યોદ્ધાઓને તેં ત્યાં જોયા હતા?
સંજય બોલ્યો-અંધક અને વૃષ્ણિઓમાં મુખ્ય શ્રીકૃષ્ણને મેં ત્યાં આવેલા જોયા.ચેકિતાન અને યુયુધાન સાત્યકિ એ બંને મહારથી,જુદીજુદી એક અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે.પંચાલરાજ દ્રુપદ,સત્યજિત,ધૃષ્ટદ્યુમ્ન વગેરે પોતાના દશ વીર પુત્રો સાથે એક અક્ષૌહિણી સેનાથી વીંટાઇને શિખંડીના રક્ષણ હેઠળ પાંડવોનું માન વધારવા આવી પહોંચ્યા છે.
Jan 24, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-722
અધ્યાય-૫૬-સંજયનું ભાષણ-પાંડવોના રથાદિનું વર્ણન
II दुर्योधन उवाच II अक्षौहिणीः सप्तलब्ध्वा राजाभिः सह संजय I किंस्विदिच्छति कौन्तेयो युध्दःप्रेप्सुर्युधिष्ठिरः II १ II
દુર્યોધને પૂછ્યું-હે સંજય,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર,રાજાઓની સાથે સાત અક્ષૌહિણી સેના મેળવી શું ઈચ્છા રાખે છે?
સંજય બોલ્યો-હે રાજા,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર અતિશય આનંદમાં રહે છે.અર્જુન,ભીમ,નકુળ તથા સહદેવ પણ નિર્ભય જણાય છે.અર્જુને અસ્ત્રના મંત્રોની અસર જાણવાની ઈચ્છાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો પોતાનો રથ જોડ્યો હતો.કવચ પહેરીને તૈયાર થયેલા અર્જુને સર્વ તરફનો વિચાર કરીને આનંદ પામતાં મને કહ્યું કે-'હે સંજય,તું અમારું આ પ્રાથમિક ચિહ્નન જો,અમે યુદ્ધમાં જીતીશું'
દુર્યોધન બૉંલ્યો-હે સંજય,તું માત્ર,પાસાઓથી હારી ગયેલા પાંડવોની પ્રસંશા કરે છે ને તેમને અભિનંદન આપે છે,
પણ કહે કે અર્જુને,રથને કેવા ઘોડાઓ જોડ્યા છે અને તેના ધ્વજો કેવા છે?(6)
Jan 23, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-721
Jan 22, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-720
અધ્યાય-૫૫-દુર્યોધનનું ભાષણ
II दुर्योधन उवाच II न भेतव्यं महाराज न शोच्या भवता भयम् I समर्थाः स्म परान्जेतु बलिनः समरे विभो II १ II
દુર્યોધન બોલ્યો-હે મહારાજ,તમારે ડરવું નહિ તથા અમારે માટે શોક કરવો નહિ કારણકે હે વિભો,અમે યુદ્ધમાં બળવાન શત્રુઓને જીતવા સમર્થ છીએ.જે વખતે વનમાં કાઢી મુકેલા પાંડવોને મળવા માટે,ઈંદ્રપ્રસ્થથી થોડે છેટે,પ્રચંડ સેનાઓ લઈને શ્રીકૃષ્ણ,કેકયો,ધૃષ્ટકેતુ,ધૃષ્ટદ્યુમ્ન આદિ અનેક લોકો પાંડવોની પાસે આવ્યા હતા ને સર્વ એકઠા થઈને તમારી નિંદા અને યુધિષ્ઠિરનું સન્માન કરવા લાગ્યા હતા.પછી,તેઓ ઠરાવ પર આવ્યા હતા કે 'પરિવાર સાથે આપણો વિનાશ કરીને રાજ્ય પાછું લેવું.' એ સાંભળીને મેં ભીષ્મ,દ્રોણ અને કૃપને કહ્યું હતું કે-'પાંડવો પોતાના કરાર પ્રમાણે ચાલશે,પરંતુ શ્રીકૃષ્ણ આપણા સર્વનો વિનાશ કરવા ઈચ્છે છે.એક વિદુર ને ધૃતરાષ્ટ્ર સિવાય,આપણા સર્વનો સંપૂર્ણ વિનાશ કરીને શ્રીકૃષ્ણ સર્વ રાજ્ય યુધિષ્ઠિરને આપવા ઈચ્છે છે.માટે આવા પ્રસંગમાં શું સંધિને માટે તેમને નમન કરવું,નાસી જવું કે પ્રાણોની દરકાર રાખ્યા વિના તેમની સામે યુદ્ધ કરવું? નમી પડવામાં મને મારા પિતાનો શોક થાય છે કેમ કે તેમને મારે લીધે જ નમાવવા મને કષ્ટદાયક લાગે છે.'(16)
Jan 21, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-719
અધ્યાય-૫૪-ધૃતરાષ્ટ્રને ઠપકો
II संजय उवाच II एवमेतन्महाराज यथा वदति भारत I युद्धे विनाशः क्षत्रस्य गाण्डीवेन प्रद्र्श्यते II १ II
સંજય બોલ્યો-હે ભારત,મહારાજ,તમે જેમ કહો છો તે તેમ જ છે.યુદ્ધમાં ગાંડીવ ધનુષ્ય વડે ક્ષત્રિયોનો વિનાશ પ્રત્યક્ષ દેખાય છે,પરંતુ તમે ધીર છો ને અર્જુનનાં તત્વને જાણો છો છતાં નિત્ય પુત્રને અધીન રહો છો એમાં મને સમજણ પડતી નથી.તમે શાંતિ કરવા બોલો છો,પરંતુ તમારી એ બુદ્ધિ સ્થિર રહેશે નહિ કારણકે પાંડવોનો અપરાધ કરવાની તમને ટેવ પડી ગઈ છે.તમે જ પ્રથમ પાંડવોની સાથે ખરાબ રીતે વર્ત્યા છો.દ્રોહ કરનારો વડીલ ગણાતો નથી.દ્યુત સમયે તમે બાળકની જેમ હરખાતા હતા ને તમારા પુત્રો પાંડવોને કઠોર વચનો કહેતા હતા ત્યારે તમે તેની દરકાર કરી નહોતી.વળી 'મારા પુત્રો આખું રાજ્ય જીતી લે છે'એમ માનીને તમે વિનાશ તરફ તો દ્રષ્ટિ જ કરતા નહોતા.(6)