Feb 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-731

 

અધ્યાય-૬૫-ધૃતરાષ્ટ્રનો દુર્યોધનને ઉપદેશ 


II धृतराष्ट्र उवाच II दुर्योधन विजानीहि यत्वां वक्ष्यामि पुत्रक I उत्पथं मन्यसे मार्गमनभिज्ञ इवाध्वग II १ II

 ધૃતરાષ્ટ્રે કહ્યું-હે પુત્ર દુર્યોધન,હું તને જે કહું છું તે તું ધ્યાનમાં લે.જેમ,અજાણ્યો વટેમાર્ગુ અવળા રસ્તાને રસ્તો માની લે છે,તેમ,તું પણ અવળા માર્ગને માર્ગ માને છે.તું જે પાંચ પાંડવોના તેજને હરવાની ઈચ્છા રાખે છે,તે લોકોને ધારણ કરનારા પંચમહાભુતોના તેજને હરણ કરવા જેવી વાત છે.પરમ ધર્મને સેવનારા યુધિષ્ઠિરને તો તું મૃત્યુ પામ્યા વિના આ લોકમાં જીતી શકીશ નહિ.રણભૂમિમાં કાળ જેવા ભીમનો તું તિરસ્કાર કરે છે,એ જેમ,એકાદ ઝાડ પવનનો તિરસ્કાર કરે તેના જેવું જ છે.

Feb 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-730

 

અધ્યાય-૬૪-વિદુરનો ઉપદેશ 


II विदुर उवाच II शकुनीनाभिहार्थाय पाशं भूभावयोजयत I कश्विच्छाकुनिकस्तात पुर्ववामिति शुश्रुन II १ II

વિદુરે કહ્યું-હે તાત,અમે વૃદ્ધોની પાસેથી એક વાત સાંભળી છે.એક પારધીએ પક્ષીઓને પકડવા જમીન પર જાળ પાથરી હતી,કે જેમાં બે પક્ષીઓ એક સાથે ફસાઈ ગયાં,પણ તે પક્ષીઓ જાળને લઈને ઉડી ગયાં.પારધી તેની પાછળ દોડવા લાગ્યો,ત્યારે તેને કોઈ મુનિએ જોયો,ને તેને દોડવાનું કારણ પૂછ્યું.ત્યારે પારધીએ કહ્યું કે-'આ બંને પક્ષીઓ સાથે મળીને મારી જાળને લઇ જાય છે પરંતુ તે જ્યાં વિવાદ કરશે ત્યારે મારા તાબામાં આવી જશે' પછી,બન્યું પણ એવું જ.મૃત્યુથી સપડાયેલાં તે બંને પક્ષી પરસ્પર વિવાદ કરવા લાગ્યા અને લડાઈ કરીને જમીન પર પડ્યાં,ત્યારે પારધીએ તેમને પકડી લીધાં.

Jan 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-729

 

અધ્યાય-૬૩-દુર્યોધનની હઠ અને વિદુરનો ઉપદેશ 


II दुर्योधन उवाच II सदशानां मनुष्येषु सर्वेषां तुल्यजन्मनाम् I कथमेकांततस्तेषां पार्थानां न्यसे जयम् II १ II

દુર્યોધને કહ્યું-મનુષ્યોમાં સર્વે સમાન છે અને સમાન રીતે જન્મ ધારણ કરનારા છે,છતાં તમે કેવળ પાંડવોનો જ જય થશે,એમ કેમ માનો છો?અમે અને તેઓ વીર્ય,પરાક્રમ,વય,પ્રતિભા,શાસ્ત્ર,અસ્ત્ર,વીરસમૂહ,શીઘ્રતા અને કૌશલ્ય વડે સમાન છીએ,અમે સર્વ એક જાતિવાળા છીએ અને મનુષ્યયોનિમાં જ જન્મ્યા છીએ.છતાં તેઓ જ જીતશે એમ તમે કેમ માનો છો?

હું કંઈ તમારા,દ્રોણ,કૃપ આદિના પરાક્રમ ઉપર યુધ્ધનો આરંભ કરતો નથી,પણ હું,કર્ણ,ને દુઃશાસન એ ત્રણે સંગ્રામમાં તીવ્ર બાણો વડે તે પાંચે પાંડવોને મારીશું.પછી,હું પુષ્કળ દક્ષિણાવાળા વિવિધ પ્રકારના મહાયજ્ઞોથી યજન કરીશ.યુદ્ધમાં જયારે મારા યોદ્ધાઓ,હાથી ને રથથી વ્યાપ્ત શત્રુઓને પકડી લેશે ત્યારે પાંડવો ને કૃષ્ણ ગર્વ છોડી દેશે.(8)

Jan 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-728

 

અધ્યાય-૬૨-કર્ણ અને ભીષ્મ વચ્ચે વિવાદ 

II वैशंपायन उवाच II तथा तु प्रुच्छमतंतीव पार्थ वैचित्रवीर्यतमचिंतयित्वा I उवाच कर्णो धृतराष्ट्रपुत्रं प्रहर्षयन्सन्सदि कौरवाणां II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વિચિત્રવીર્યનો પુત્ર ધૃતરાષ્ટ્ર,અર્જુનના સંબંધમાં અતિશય પૂછ્યા કરતો હતો,ત્યારે તેના પર લક્ષ્ય ના આપતાં,તે સભામાં દુર્યોધનને આનંદ આપતો કર્ણ બોલ્યો કે-'પૂર્વે,'હું બ્રાહ્મણ છું' એવું પરશુરામને મિથ્યા કહીને,મેં તેમની પાસેથી બ્રહ્માસ્ત્ર સંપાદન કર્યું હતું,પણ મારુ કપટ જાણ્યા પછી તેમણે તે જ વખતે મને કહ્યું હતું કે-'તને અંતકાળે એ અસ્ત્રનું સ્મરણ થશે નહિ' જો કે મારો અપરાધ મોટો હતો છતાં તે તેજસ્વી ગુરુએ મને બીજો શાપ આપ્યો નહોતો,કારણકે મેં સેવાથી ને પુરુષાર્થથી તેમનું મન પ્રસન્ન કર્યું હતું.તે બ્રહ્માસ્ત્ર મારી પાસે છે ને મારુ આયુષ્ય પણ બાકી છે એટલે હું અર્જુનને જીતવા સમર્થ છું અને તેથી તેના વધનો ભાર હું મારે માથે લઉં છું.તે ઋષિનો કૃપાપાત્ર હું એક પલકારામાં પાંચાલ,મત્સ્ય આદિને અને પુત્ર-પૌત્રોની સાથે પાંડવોને મારીને તે લોકોને સ્વાધીન કરીશ.પિતામહ,દ્રોણ -આદિ ભલે તારી સાથે રહે,હું માત્ર મુખ્ય સૈન્યની સાથે જઈને પાંડવોનો નાશ કરીશ.એ ભાર હું મારા પર લઉં છું' (6)

Jan 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-727

 

અધ્યાય-૬૧-દુર્યોધનની આત્મશ્લાઘા 


II वैशंपायन उवाच II पितुरेतद्वचः श्रुत्वा धार्तराष्ट्रोत्यमर्षणः I आधाय विपुलं क्रोधं पुनरेवेदमब्रवीत् II १ II

વૈશંપાયને કહ્યું-પિતાનાં એ વચન સાંભળીને,મૂળથી જ મહાક્રોધી દુર્યોધન,અતિશય ક્રોધ ધારણ કરીને ફરીથી કહેવા લાગ્યો કે-

'હે મહારાજ,દેવોની સહાયતાવાળા પાંડવો જિતાવા અશક્ય છે એવો તમારો ભય દૂર થાઓ.પૂર્વે વ્યાસ,પરશુરામ ને નારદે મને જે વાત કહી હતી તે તમે સાંભળો.કામ,દ્વેષ,લોભ તથા દ્રોહના અભાવથી અને પદાર્થો તરફ ઉપેક્ષા કરવાથી જ દેવો દેવપણાને પામે છે,ને તે દેવો મનુષ્યની જેમ કામ,ક્રોધ લોભ ને દ્વેષથી કોઈ પણ કામ કરતા નથી.તમે કહે છો તેમ જો અગ્નિ,વાયુ,ધર્મ,ઇન્દ્ર ને અશ્વિનીકુમારો,ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોત તો પાંડવો કદી દુઃખ પામે જ નહિ.માટે તમારે દેવો તરફની એવી કોઈ ચિંતા કરવી નહિ.વળી,દેવો શમ,દમ વગેરે દૈવી ભાવોની નિત્ય ઈચ્છા રાખનારા હોય છે,છતાં,જો તે દેવોમાં કામનાના સંબંધથી દ્વેષ ને લોભ જોવામાં આવે તો વેદના પ્રમાણ પરથી હું તમને કહું છું કે-તે કામાદિના સંબંધવાળાઓનું કરેલું સફળ થશે નહિ (8)

Jan 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-726

 

અધ્યાય-૬૦-ધૃતરાષ્ટ્રનું વિવેચન 


II वैशंपायन उवाच II संजयस्य वचः श्रुत्वा प्रज्ञाचक्षुर्जनेश्वरः I ततः संख्यातुमारेभे तद्वचो गुणदोषतः II १ II

વૈશંપાયને કહ્યું-સંજયનું કહેવું સાંભળીને,અંધરાજા ધૃતરાષ્ટ્ર,તે વચનના ગુણદોષની ગણના કરવા લાગ્યો.વિચક્ષણ ને પોતાના પુત્રોના વિજયની કામનાવાળા ધૃતરાષ્ટ્રે પોતાના બુધ્ધિબળથી,ગુણદોષની યથાયોગ્ય સૂક્ષ્મતાથી ગણના કરીને બંને પક્ષના બળાબળનો નિશ્ચય કર્યો.પછી,તેણે શક્તિ સંબંધી વિચાર કર્યો અને તેમાં પાંડવોને દૈવી તથા માનુષી શક્તિથી અને તેજથી યુક્ત જાણીને અને કૌરવોને અતિ અલ્પ શક્તિવાળા જાણીને તેણે દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,મારી આ ચિંતા કદી પણ શાંત થતી નથી,હું જે કહું છું તે અનુમાનથી નહિ પણ સાચા અનુભવથી કહું છું,એમ મારુ માનવું છે.