અધ્યાય-૬૯-શ્રીકૃષ્ણનું માહાત્મ્ય (ચાલુ)
II धृतराष्ट्र उवाच II कथं त्वं माधवं वेत्थ सर्वलोकमहेश्वरम् I कथमेनं न वेदाहं तन्ममाचक्ष्व संजय II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ સર્વ લોકના મહેશ્વર છે,એ તું શાથી જાણે છે?અને એને હું કેમ જાણતો નથી? તે કહે.
સંજય બોલ્યો-હે રાજા,તમને જ્ઞાન નથી ને મારુ જ્ઞાન નાશ પામતું નથી.જે પુરુષ જ્ઞાનથી રહિત છે તથા અજ્ઞાનને લીધે સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો છે તે શ્રીકૃષ્ણને ઓળખતો નથી.હું જ્ઞાનના સામર્થ્યથી શ્રીકૃષ્ણને જાણું છું કે-તે અધિષ્ઠાનરૂપ હોવાથી સ્થૂળ,સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે,દોરીમાં દેખાતા સર્પની જેમ સંબંધવાળા છે.તે વિશ્વના નિમિત્તકારણ છે,કર્મ વડે અસાધ્ય છે અને પંચમહાભૂતના ઉત્પત્તિ ને લયના સ્થાનરૂપ છે (3)