એવી નિર્ધન અવસ્થામાં આવીને કેટલાએક લોકો મરણ માગી લે છે,કેટલાએક ખરાબ ગામમાં જઈને વસે છે,કેટલાએક વનમાં ચાલ્યા જાય છે,કેટલાએક નાશને માટે નીકળી જાય છે,કેટલાએક ગાંડા થઇ જાય છે,કેટલાએક શત્રુના તાબામાં જઈને પડે છે અને કેટલાએક ધનને માટે બીજાના દાસ બની જાય છે (26) ધનનાશની આપત્તિ પુરુષને મરણ કરતાં પણ અધિક કષ્ટદાયક છે કારણકે ધન એ જ ધર્મ તથા કામ સંપાદન કરવામાં નિમિત્ત છે.
Feb 25, 2025
Feb 24, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-738
ભગવદ્યાન પર્વ
અધ્યાય-૭૨-યુધિષ્ઠિરની શ્રીકૃષ્ણને પ્રેરણા
II वैशंपायन उवाच II संजये प्रतियाते तु धर्मराजो युधिष्ठिरः I अभ्यभाव दाशांर्हमृषभं सर्वसात्वताम् II १ II
વૈશંપાયને કહ્યું-સંજય,કૌરવોના તરફ ગયા પછી,ધર્મરાજા યુધિષ્ઠિર,સર્વ યાદવોમાં શ્રેષ્ઠ,દશાર્હવંશી શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ સમય પ્રાપ્ત થયો છે.આપત્તિમાંથી અમને તારે એવા તમારા વિના બીજા કોઈને હું જોતો નથી.હે લક્ષ્મીના પતિ,તમારો આશ્રય કરીને નિર્ભય થયેલા અમે,મિથ્યા ગર્વિષ્ઠ એવા મંત્રીઓ સહિત દુર્યોધનની પાસેથી અમારા ભાગની પ્રાર્થના કરીએ છીએ.હે શત્રુદમન,તમે જેમ,સર્વ આપત્તિઓમાંથી યાદવોનું રક્ષણ કરો છો,તેમ તમારે પાંડવોનું પણ રક્ષણ કરવું જોઈએ,માટે આ મહાભયમાંથી અમને બચાવો (4)
Feb 23, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-737
અધ્યાય-૭૧-ધૃતરાષ્ટ્રે કરેલું શ્રીકૃષ્ણનું વર્ણન
II धृतराष्ट्र उवाच II चक्षुष्मतां वै स्पृहयामि संजय द्रक्ष्यम्ति ये वासुदेवं समीपे I विभ्राजमानं वपुषा परेण प्रकाशयंतं प्रदिक्षो दिशश्व II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું નેત્રવાળાઓની ભાગ્યની સ્પૃહા કરું છું.કારણકે તેઓ ચૈતન્ય સ્વરૂપથી ઝળહળી રહેલા અને દિશાઓ તથા વિદિશાઓને પ્રકાશિત કરતા વાસુદેવના પ્રત્યક્ષ દર્શન કરશે.યાદવરૂપે પ્રગટ થયેલા,વિશ્વમાં એક વીર,યાદવોના મુખ્ય નાયક,શત્રુઓને ક્ષોભ પમાડી,મારી,તેઓના યશનો નાશ કરનારા યાદવ શ્રેષ્ઠ શત્રુહંતા,ઇચ્છવા યોગ્ય અને મહાત્મા શ્રીકૃષ્ણ ભરતવંશીઓએ સન્માન કરવા યોગ્ય છે,ઐશ્વર્યની ઇચ્છાવાળાઓએ ગ્રહણ કરવા યોગ્ય છે,મારવાની તૈયારીવાળાઓને અગ્રાહ્ય,અનિંદ્ય તથા પ્રેમાળ વાણી બોલી,મારા પુત્રોને મોહિત કરતા હશે,તે વખતે એકઠા મળેલા કૌરવો તેમનાં દર્શન કરશે.
Feb 7, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-736
અધ્યાય-૭૦-હેતુવાળાં શ્રીકૃષ્ણનાં નામો
II धृतराष्ट्र उवाच II भूयो मे पुंडरिकाक्षं संजयाचक्ष्व पृच्छतः I नामकर्मावित्तात प्राप्यां पुरुषोत्तमं II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું તને પ્રશ્ન કરું છું માટે ફરી તું કમળનયન શ્રીકૃષ્ણ સંબંધી કથા કહે,
જે પુરુષોત્તમનાં નામો તથા કર્મોનો અર્થ જાણીને હું તેમને પ્રાપ્ત થાઉં.
સંજયે કહ્યું-મેં શ્રીકૃષ્ણનાં નામોનો શુભ અર્થ સાંભળ્યો છે,તેમાં હું જેટલું જાણું છું તેટલું તમને કહીશ.કારણકે શ્રીકૃષ્ણ વાણીના અવિષય છે.એ શ્રીકૃષ્ણ માયા વડે આવરણ કરે છે તેથી જગત એમનામાં વાસ કરે છે તેથી અને પ્રકાશમાન હોવાથી 'વાસુદેવ' કહેવાય છે.(અથવા દેવો એમનામાં વાસ કરે છે તેથી તે વાસુદેવ કહેવાય છે)સર્વવ્યાપક હોવાથી તે 'વિષ્ણુ' કહેવાય છે.
'મા'એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિ,કે જે મૌન,ધ્યાન તથા યોગથી દૂર થાય છે તેથી તેમનું નામ 'માધવ' છે.
Feb 6, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-735
અધ્યાય-૬૯-શ્રીકૃષ્ણનું માહાત્મ્ય (ચાલુ)
II धृतराष्ट्र उवाच II कथं त्वं माधवं वेत्थ सर्वलोकमहेश्वरम् I कथमेनं न वेदाहं तन्ममाचक्ष्व संजय II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ સર્વ લોકના મહેશ્વર છે,એ તું શાથી જાણે છે?અને એને હું કેમ જાણતો નથી? તે કહે.
સંજય બોલ્યો-હે રાજા,તમને જ્ઞાન નથી ને મારુ જ્ઞાન નાશ પામતું નથી.જે પુરુષ જ્ઞાનથી રહિત છે તથા અજ્ઞાનને લીધે સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો છે તે શ્રીકૃષ્ણને ઓળખતો નથી.હું જ્ઞાનના સામર્થ્યથી શ્રીકૃષ્ણને જાણું છું કે-તે અધિષ્ઠાનરૂપ હોવાથી સ્થૂળ,સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે,દોરીમાં દેખાતા સર્પની જેમ સંબંધવાળા છે.તે વિશ્વના નિમિત્તકારણ છે,કર્મ વડે અસાધ્ય છે અને પંચમહાભૂતના ઉત્પત્તિ ને લયના સ્થાનરૂપ છે (3)
Feb 5, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-734
અધ્યાય-૬૮-સંજયે કહેલું કૃષ્ણનું માહાત્મ્ય
II संजय उवाच II अर्जुनो वासुदेवश्च धन्विनौ पर्मरचितौ I कामादन्यत्र संभूतौ सर्वभावाय संमितौ II १ II
સંજયે કહ્યું-ધનુર્ધારી અર્જુન અને પરમપૂજ્ય વાસુદેવ એ બંને બ્રહ્મભાવમાં સમાન છે.તેઓનો જન્મ કર્મને લીધે નથી,પણ લોકોના અનુગ્રહને માટે જ સૂર્યની જેમ તેઓ પ્રગટ થયા છે.વાસુદેવનું સુદર્શન ચક્ર,મધ્યમાં પાંચ હાથ પહોળું છે,પણ શ્રીકૃષ્ણ તેને જેટલા પ્રમાણવાળું થવાની ધારણા કરીને છોડે છે તેટલા પ્રમાણમાં તે પહોળું થઈને જાય છે.તેજવાળું તે ચક્ર કોઈનું પણ સારાસારનું બળ જાણવા માટે નિર્માયું છે ને તે પાંડવોનું માનીતું છે ને કૌરવોનો સંહાર વાળનારું છે.મહાબળવાન શ્રીકૃષ્ણે ભયંકર જણાતા નરકાસુર,શમ્બરાસુર,કંસ અને શિશુપાલને રમતાં રમતાં જીતી લીધા હતા.ઐશ્વર્યસંપન્ન તથા શ્રેષ્ઠ રૂપવાળા પુરુષોત્તમ,માત્ર મનના સંકલ્પથી જ પૃથ્વી,અંતરિક્ષને ને સ્વર્ગને કબ્જે કરીલે તેવા છે.(5)