અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન
II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II
ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.
ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,