Mar 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772

 

અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II

ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.

ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,

Mar 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-771

 

અધ્યાય-૧૦૭-ગાલવનો શોક 


II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II

નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.

Mar 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-770

 

અધ્યાય-૧૦૬-ગાલવ ચરિત્ર-વિશ્વામિત્રની પરીક્ષા 


II जनमेजय उवाच II अनर्थे जातनिर्बन्धं परार्थे लोभमोहितं I अनार्यकेष्व भिरतं मरणे कृतनिश्चयम् II १ II

જન્મેજયે પૂછ્યું-અનર્થમાં હઠે ભરાયેલો,પરદ્રવ્યમાં લોભને લીધે મોહિત થયેલો,અનાર્યોમાં પ્રીતિવાળો,મરણને માટે નિશ્ચય  કરી બેઠેલો,જ્ઞાતિજનોને દુઃખ કરનારો,બંધુઓના શોકને વૃદ્ધિ પમાડનારો,સ્નેહીઓને ક્લેશ આપનારો અને શત્રુઓના હર્ષમાં વધારો કરનારો દુર્યોધન,આડે માર્ગે જતો હતો,છતાં બાંધવોએ તેને વાર્યો કેમ નહિ? કોઈ પ્રેમાળ સ્નેહીએ કે પિતામહ ભગવાન વ્યાસે પણ સ્નેહને લીધે તેને કેમ વાર્યો નહિ?

વૈશંપાયન બોલ્યા-તેને વ્યાસે કહ્યું,ભીષ્મે પણ જેટલું કહેવાય તેટલું કહ્યું અને પછી,નારદે પણ જે વચન કહ્યું તે સાંભળો.(4)

Mar 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-769

 

અધ્યાય-૧૦૫-વિષ્ણુએ ગરુડનો ગર્વ ઉતાર્યો 


II कण्व उवाच II गरुडस्तत्र शुश्राव यथावृतं महाबलः I आयुःप्रदानं शक्रेण कृतं नागस्य भारत II १ II

કણ્વ બોલ્યા-હે ભરતવંશી,ઇન્દ્રે નાગને આયુષ્ય આપ્યું એ સાંભળી,ક્રોધાયમાન થયેલો ગરુડ,ઇન્દ્ર પાસે દોડી આવી કહેવા લાગ્યો કે-'હે ભગવન,તમે અપમાન કરીને મારી આજીવિકા શા માટે નષ્ટ કરી? તમે મને યચેચ્છ વર્તનનો વર આપ્યો હતો અને હવે એ વચનથી કેમ ડગી જાઓ છો? અમારી જાતિને માટે સર્પોનો સ્વાભાવિક આહાર નિર્માણ કરેલો છે તે તમે શા માટે અટકાવો છો? વળી,મેં સુમુખનો આહાર કરવાનો નિશ્ચય કર્યો હતો,ને એના દેહ વડે મારે મારા મોટા પરિવારનું પોષણ કરવાનું હતું.પણ તમે એને લાબું આયુષ્ય આપી દીધું.

Mar 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-768

 

અધ્યાય-૧૦૩-નાગલોકનું વર્ણન 


II नारद उवाच II इयं भोगवती नाम पुरी वासुकिपालिता I यादशि देवराजस्य पुरीवर्याअमरावती II १ II

નારદે કહ્યું-જેવી,દેવરાજ ઇન્દ્રની શ્રેષ્ઠ અમરાવતી નગરી છે તેવી વાસુકિએ પાલન કરેલી આ 'ભોગવતી' નામની નગરી છે.

જે,શેષનાગ,પોતાના તપ વડે પૃથ્વીને સર્વદા ધારણ કરે છે તે અહીં રહેલા છે.મહાબળવાન શેષનાગનો દેહ ધવલગિરિના જેવો તથા દિવ્ય અલંકારોથી શોભાયમાન છે,એમને હજાર ફણાઓ છે ને અગ્નિની જ્વાળા જેવી જિહવાઓ છે.આ નગરીમાં અનેક પ્રકારના આકારવાળા,સુરસાના પુત્ર નાગો,નિર્ભય થઈને નિવાસ કરે છે.તેઓના દેહ પર મણિ,સાથીઆ,ચક્ર ને કમંડલુનાં ચિહ્નો છે,તેઓ હજારોની સંખ્યામાં છે અને તે સર્વે બળવાન ને ભયંકર સ્વભાવવાળા છે (5)

Mar 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-767

 

અધ્યાય-૧૦૧-ગરુડલોકનું વર્ણન 


II नारद उवाच II अयं लोकः सुवर्णानां पक्षिणां परगासिनाम् I विक्रमे गमने भरे नैनाभास्त परिश्रमः II १ II

નારદે કહ્યું-હે માતલિ,આ સર્પોનું ભક્ષણ કરનારા ગરુડ પક્ષીઓનો લોક છે.એ પક્ષીઓને પરાક્રમ કરવામાં,ગતિમાં અને ભાર ઉપાડવામાં પરિશ્રમ લાગતો નથી.કશ્યપપત્ની,વિનતાના વંશને વધારનારા,ગરુડના,સુમુખ,સુનામા,સુનેત્ર,સુવર્ચા,સુરચ,અને સુબલ-એ છ પુત્રોએ પોતાની સંતતિ વડે આ કુળ વધારી દીધું છે.કશ્યપના વંશમાં ઉત્પન્ન થયેલાં અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનારાં ગરુડ પક્ષીઓનાં સેંકડો અને હજારો કુળો ઉદય પામ્યાં  છે,એ સર્વે શ્રીમાન,શ્રીવત્સનાં ચિહ્નનવાળાં છે ને સર્વે લક્ષ્મીની ઈચ્છા રાખી મહાબળ ધારણ કરે છે.તે કર્મવડે ક્ષત્રિયો છે,નિર્દય છે,સર્પોનું ભોજન કરે છે,અને તે જ્ઞાતિનો ક્ષય કરનારા હોવાથી બ્રાહ્મણપણાને પામતા નથી(6)