અધ્યાય-૧૩૭-કુંતીનો પુત્રોને સંદેશો
II कुन्त्युवाच II अर्जुनं केशव बुयास्त्वयि जाते स्म सूतके I उपोपविष्टा नारिभिराश्रमे परिवारिता II १ II
કુંતીએ કહ્યું-હે કેશવ,તમે અર્જુનને કહેજો કે-તું ઉત્પન્ન થયો ત્યારે સૂતકસમયમાં,જયારે હું સ્ત્રીઓથી વીંટાઇને બેઠી હતી,તે વખતે આકાશવાણી થઇ હતી કે-'હે કુંતી,આ તારો પુત્ર ઇન્દ્રના જેવો પરાક્રમી થશે.ને તે એકલો ભીમસેનને સાથે રાખીને સંગ્રામમાં એકઠા મળેલા સર્વ કૌરવોને જીતશે ને શત્રુઓને આકુળવ્યાકુળ કરી દેશે.તે પૃથ્વીનો વિજય કરશે ને એનો યશ સ્વર્ગ સુધી પહોંચશે.શ્રીકૃષ્ણની સહાયથી સંગ્રામમાં કૌરવોનો નાશ કરીને પોતાનો રાજ્યભાગ પામી તે રાજ્યનો ઉદ્ધાર કરશે,ને ઐશ્વર્ય પામ્યા પછી,તે બંધુઓની સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કરશે.' (5)