અધ્યાય-૧૪૦-શ્રીકૃષ્ણે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કર્યો
II धृतराष्ट्र उवाच II राजपुत्रै: परिवृतस्तथा मृत्यैश्च संजय I उपारोप्य रथे कर्णे निर्यातो मधुसूदनः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ,રાજપુત્રોથી તથા સેવકોથી વીંટાઇને એકલા કર્ણને રથમાં બેસાડીને અહીંથી ચાલી નીકળ્યા.
ત્યારે તે ગોવિંદે કર્ણને શું કહ્યું?તેમણે કર્ણને જે કોમળ કે તીવ્ર વચનો કહ્યાં હોય તે તું મને કહે
સંજયે કહ્યું-શ્રીકૃષ્ણે જે વચનો કહ્યાં હતાં તે હું અનુક્રમથી તમને કહું છું તે સાંભળો.