રાજા કહે છે કે-હે રાક્ષસ,તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો-
તારું માથું હજાર ટુકડા થઈને ફાટી પડશે,એમાં કોઈ સંશય નથી.
વેતાળ કહે છે કે-હું તને અન્યાયથી નહિ ખાઉં.હું તને એક વાત કહું છું તે સાંભળ.
તું રાજા છે-એટલે તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરી કરવી જ જોઈએ,તો તારાથી બને તેવી હું એક માંગણી કરું છું તે તું પૂરી કર.હું જે જે પ્રશ્નો કરું-તેના તારે યથાર્થ ઉત્તરો આપવા.