Jan 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-727

રાજા કહે છે કે-હે રાક્ષસ,તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો-
તારું માથું હજાર ટુકડા થઈને ફાટી પડશે,એમાં કોઈ સંશય નથી.
વેતાળ કહે છે કે-હું તને અન્યાયથી નહિ ખાઉં.હું તને એક  વાત કહું છું તે સાંભળ.
તું રાજા છે-એટલે તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરી કરવી જ જોઈએ,તો તારાથી બને તેવી હું એક માંગણી કરું છું તે તું પૂરી કર.હું જે જે પ્રશ્નો કરું-તેના તારે યથાર્થ ઉત્તરો આપવા.

Jan 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-726

હે રામચંદ્રજી,ચિત્તના ક્ષયનું રૂપ-શૂન્યતા નથી,પણ અધિષ્ઠાન-ભૂત આત્મા જ ચિત્તના ક્ષયનું રૂપ છે,
કેમ કે અભાવને (શૂન્યતાને પામવાના પુરુષાર્થને ) પરમ પુરુષાર્થ કહેવાય જ નહિ.
જો ચિત્ત જરાવાર પણ પરમ-પદમાં આરામ લે,તો તે પરમ-પદમાં જ પરમાનંદ પામીને પરમ-પદ થયેલું જ સમજો.ચિત્તને જો નિરતિશય સ્વયંપ્રકાશ આનંદનો સ્વાદ મળ્યો,
તો પછી સંસારમાં પાછા આવવાની ઈચ્છા કરશે જ નહિ.