Jan 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-731

એ રાજા મહાત્મા લોકોને પણ તેમના સંસાર વ્યવહારને ચલાવવા માટે નિરંતર ધન આપ્યા કરતો અને (સાથે સાથે) પોતાના રાજકીય હક્કથી મળેલા ધનને પણ સ્વીકારવાનું છોડતો નહોતો.
તે ભગીરથ રાજા દુષ્ટો પર આક્રમણ કરીને તેમના દેશ વગેરે-જીતી લઈને,તેમને પોતાના પગ તળે રાખીને તેમનાં દુરાચરણ દુર કરીને તેમને ગુણવાન બનાવતો હતો.

Jan 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-730

હે વેતાળ,આ સઘળું બ્રહ્માંડ,એ જ્ઞાન-માત્ર પરમાત્માની અંદર મજ્જા-રૂપ છે-એમ સમજ.સઘળા જગતો જ્ઞાન-માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલાં છે,બ્રહ્મ-પદ કે જે શાંત છે,સ્વાભાવિક રીતે સુકુમાર અને મર્યાદા વગરનું છે-તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ ખૂંચે તેમ નથી,એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર,અને અભિમાનને ત્યજીને બેસી રહે.