એ પંચક વડે અનુભવમાં આવતાં સંસાર-વૃક્ષો અવિવેકને લીધે પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન થયેથી,કાળે કરીને પાછાં તેમાં જ લીન થઇ જાય છે.
અજ્ઞાનને લીધે તે પોતાની મેળે જ નાનાપણાને પ્રાપ્ત થઈને (સંસાર) ઘણા કાળ સુધી સ્ફૂર્યા કરે છે
પણ, જો વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે તો સમુદ્રમાં તરંગોની જેમ આત્મામાં જ બધું લીન થઇ જાય છે.