Feb 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-747

પંચતન્માત્રા-રૂપ બીજથી પ્રગટ થયેલ અને પ્રાણ-મન-બુદ્ધિ-જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય-
એ પંચક વડે અનુભવમાં આવતાં સંસાર-વૃક્ષો અવિવેકને લીધે પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન થયેથી,કાળે કરીને પાછાં તેમાં જ લીન થઇ જાય છે.
અજ્ઞાનને લીધે તે પોતાની મેળે જ નાનાપણાને પ્રાપ્ત થઈને (સંસાર) ઘણા કાળ  સુધી સ્ફૂર્યા કરે છે
પણ, જો વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે તો સમુદ્રમાં તરંગોની જેમ આત્મામાં જ બધું લીન થઇ જાય છે.

Feb 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-746

સુતેલી અશુભ વાસના-વાળું લિંગ શરીર પશુ-વૃક્ષ આદિ-જડ્ભાવો થવામાં કારણ છે અને
શુભ (જાગેલી) વાસના-વાળું લિંગશરીર, દેવ-મનુષ્ય-આદિ યોનિનું કારણ છે,
જેથી એમ નિશ્ચય થાય છે કે-સર્વ ધર્મોના વિરુદ્ધ-પણામાં વાસના જ એક "હેતુ-રૂપ" છે.
વળી જે ઠેકાણે હેતુ-પણું માનવાથી કંઈ ફળ દેખાતું હોય,ત્યાં તેની (ફળની) કલ્પના ઘટે છે.