Mar 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-753


શ્રીરામ પૂછે છે કે-હે મુનીશ્વર,આપે વાયુ-રૂપ-ચંદ્રથી અગ્નિની ઉત્પત્તિ કહી તે મારા સમજવામાં આવ્યું,
પરંતુ,એ સોમની ઉત્પત્તિ શી રીતે થાય છે ? તે કહો.


વસિષ્ઠ કહે છે કે-અગ્નિ અને સોમ-એ બંને અન્યોન્ય "કાર્ય-કારણ-રૂપ" છે
અને બેય એકબીજાના ખેંચાણથી પ્રગટ થાય છે.
હે રામચંદ્રજી,એ બંનેનો જન્મ બીજ અને છોડની જેમ (અને દિવસ-રાત્રિ ની જેમ) પરસ્પર એકબીજામાંથી થાય છે.
અને તેમની સ્થિતિ છાયા અને તડકાની જેમ પરસ્પર ઉલટી છે.(એક ગરમ-બીજો ઠંડો)

Mar 1, 2017