શિખીધ્વજ કહે છે કે-ચિત્ત,છે જ નહિ,એવો બોધ,સહેલી રીતે થઇ જાય તેવી કોઈ બીજી યુક્તિ વિષે કહો,અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો,કેમ કે હજી હું સારી રીતે તે સમજ્યો નથી.
કુંભમુનિ કહે છે કે-હે રાજા,કોઈ દેશ-કાળ કે વસ્તુ-રૂપે અજ્ઞાનથી જે ભાસે છે તે ચિત્ત,
જ્ઞાનથી જોતાં છે જ નહિ,જે કંઈ ચિત્ત-રૂપે ભાસે છે,તે એક સત્ય બ્રહ્મ-સ્વરૂપ જ છે.
તો પછી હું,તમે,તે -વગેરે ચિત્તે કલ્પેલી કલ્પના ક્યાંથી હોય?
ભ્રમ વડે,જે કંઈ આ જગત દેખાય છે,તે બધું એક-બ્રહ્મરૂપ છે અને દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-પણ બ્રહ્મરૂપ છે,તો પછી તે -બ્રહ્મ,કોનાથી જણાય? અને શી રીતે જણાય?