Apr 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-803

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપ કહો છો તે પ્રમાણે મૂર્ખ મનુષ્યને જ ચિત્ત હોય છે,બાકી ચિત્તના સ્વરૂપને (મિથ્યા) સમજનાર જ્ઞાની પુરુષને ચિત્ત હોતું જ નથી,તો પછી,ચિત્ત વગરના તમારા જેવા બીજા જીવન્મુક્ત પુરુષો શી રીતે વ્યવહાર કરે છે તે,વિષયનો ખુલાસો આપ જ કરો.

Apr 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-802

કુંભમુનિ કહે છે કે-જેમ શુદ્ધ-સફેદ વસ્ત્રમાં,કંકુ-વાળા-જળનાં બિંદુઓનો રંગ બરાબર લાગી જાય છે,તેમ,જયારે,ચિત્ત,ભોગ-વાસનાઓને છોડીને,શાંત થઈને રહે,ત્યારે જ તે (શુદ્ધ) ચિત્તમાં,ઉપદેશ બરાબર લાગે છે.
અનંત યોનિઓમાં ભટકવાથી,અનેક શરીરો વડે,મેલો થયેલો,
તમારો,અનંત વાસના-રૂપી મેલ,આજે પાકી ગયો છે.
જેમ વૃક્ષ પરથી પાકી ગયેલાં ફળો,વૃક્ષથી છૂટાં પડે છે,અને જમીન પર પડી જાય છે,તેમ,કાળે કરીને પાકી જતાં રાગ-આદિ-વાસના-રૂપ મેલો (પાપો)
લિંગ-દેહથી છૂટાં પડે છે.(નાશ પામે છે)