Jul 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-865

પછી,પહેલાંના વસિષ્ઠજીનાં વાક્યો યાદ કરી,તથા "આ ગુરુ-વાક્ય છે,માટે તેનો તિરસ્કાર કરવો નહિ" એવી પિતા અને સર્વની પ્રાર્થના પણ સાંભળી લઇ,રામચંદ્રજી એકાગ્રતા-પૂર્વક વસિષ્ઠને કહે છે કે-"આપની કૃપાથી હવે આ શરીર વિધિ કે નિષેધનું અધિકારી નથી,તથાપિ આપનું વાક્ય સદાકાળ માનનીય છે.કેમ કે હે મહામુનિ,વેદ-શાસ્ત્ર-પુરાણો તથા સ્મૃતિઓમાં પણ ગુરુનું વાક્ય પાળવા યોગ્ય જ છે.અને ગુરુના વચનનો તિરસ્કાર કરવો તે નિષેધ-રૂપ કહ્યું છે" આમ કહી તેમણે વશિષ્ઠના ચરણોમાં વંદન કર્યા.

Jul 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-864

સત્વ-રજ-અને તમ એ ત્રણ ગુણ-રૂપી ગહન વનને ઉલ્લંઘી રહેલા આ દેવ-રામચંદ્રજી જ
"વેદ-ત્રયી-રૂપી" શરીરને ધારણ કરી રહ્યા છે -અને વેદના પરમ-અર્થ-સ્વ-રૂપ-ભૂત છે,
તથા પોતાના છ અંગો (શિક્ષા-કલ્પ-વ્યાકરણ-છંદ-જ્યોતિષ-નિરુકત) થી સર્વત્ર જય મેળવી રહ્યા છે.તે આ જગતના પાલક "વિષ્ણુ" છે,આ જગતના સર્જનહાર "બ્રહ્મા" પણ છે અને જગતનો સંહાર કરનાર "મહાદેવ' પણ છે.તે પોતે જન્મ વિનાના હોવા છતાં,માયાના સંબંધથી અવતાર ગ્રહણ કરે છે.તે મોહ-રૂપી નિંદ્રા  વડે ઘેરાયેલા ના હોવાથી સદા જાગૃત છે,નિરાકાર છતાં વિશ્વને ધારણ કરી રહ્યા છે.

Jul 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-863

વિશ્વામિત્ર કહે છે કે-પછી,શ્રીરામચંદ્રજી,સીતાજીનું હરણ થવાથી,થનારા શોક-મોહ-આદિ ભાવોને બતાવવાને બહાને અને,રાવણનો વધ કરીને,સર્વને બોધ આપશે.ત્યાર બાદ, રાવણ સાથેના યુદ્ધમાં પોતાને સાથ આપનારા,પણ યુદ્ધમાં શહીદ થયેલા વાનરોને ફરીવાર જીવતા કરશે.
પોતે જીવનમુક્ત અને નિસ્પૃહ છતાં "કર્મ-માર્ગના અધિકારી પુરુષોની કર્મ વડે જ શુભ ગતિ છે"
એવું બતાવવા કર્મકાંડમાં પારાયણ થશે.તથા "કર્મ અને ઉપાસના" એ બંનેના અધિકારી પુરુષને બ્રહ્મલોક-આદિની  ગતિ બતાવવાને પોતે પણ એ બંનેનું અનુષ્ઠાન કરશે.