જ્ઞાન-દૃષ્ટિ વડે યથાર્થ આત્મ-સ્વરૂપને જાણી ચૂકેલા અને નિસ્પૃહ-એવા,
વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? (એટલે કે વિવેકીને દેહનો અધ્યાસ રહેતો નથી)
દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દૃઢ બંધ છે અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો તે મુક્ત-પણું છે.
તો પછી,પૂર્ણકામતા-રૂપી વૈરાગ્ય-દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે?