Nov 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-984

વસિષ્ઠ કહે છે કે-આ જગત-રૂપી-સ્વપ્નની ભ્રાંતિને અંતે,દૈવ-યોગથી જો એ જીવો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઇ ગયા હોય,તો તેઓ મોક્ષને પામી જાય છે,અથવા તો સ્વપ્નમાંથી જાગી ગયા પછી,પણ મનથી સંકલ્પ કરે તો-તે સંકલ્પ મુજબ  બીજા દેહોને ધારણ કરી લે છે અને મનથી જ બીજા જગતના કે અતીતના કલ્પને પણ દેખે છે.આમ આ સ્વપ્ન-જાગર નામનો જીવનો ભેદ મેં તમને કહ્યો.હવે સંકલ્પ-જાગરના ભેદ વિષે કહું છું-તે સાંભળો.

Nov 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-983

"સર્વ સંપત્તિઓ આપત્તિ-રૂપ છે" એવી ભાવનાને લીધે,જેને સર્વ પદાર્થો પર તૃષ્ણા રહી નથી
તેનો "જ્ઞાન-રૂપી-અગ્નિ" એ (ત્યાગ-રૂપી-જવાળાઓથી)  મન-રૂપી-ઘાસને બાળી નાખે છે,
અને જેથી "બહારના અને અંદરના સર્વ પદાર્થો આત્મ-સ્વરૂપથી જુદા નથી" એમ તે જાણે છે.વળી,તે ચિદાત્મા જ દેવ,અસુર,નર,ઘર,પર્વત,ગુફાઓ,નદીઓ,જંગલો વગેરે રૂપે થઇ રહેલ છે.એમ પણ તે જાણે છે.

Nov 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-982

ચિદાત્મા પોતે આકાશના જેવો અસંગ,નિર્વિકાર અને સર્વના અધિષ્ઠાન-રૂપ છે.મન જેમ સ્વપ્નના આકારે પરિણામ પામી જઈ,સ્વપ્નના પદાર્થો-રૂપે જોવામાં આવે છે તેમ,સર્વ પદાર્થોનું તત્વ ચિદાકાશ જ છે,છતાં તે પદાર્થોને આકારે પરિણામ પામતું નથી."બહારના જડ-પદાર્થો જ ચિદાત્માની સત્તાથી અંદર ચિદાકાશ-રૂપે (ચેતન-રૂપે) પરિણામ પામી જઈ જોવામાં આવે છે" એમ કહી શકાતું નથી,કેમ કે જડ પદાર્થ એ ચેતનથી સાવ ઉલટો છે અને તે કદી પણ ચેતન થઇ શકતો નથી.