Nov 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-986

ચિત્તનો નિરોધ ના હોવાને લીધે,સ્વપ્ન અવસ્થામાં,ચિત્તની અંદર અને વાસનાઓ અને
આસક્તિને લીધે વિષયો સત્ય લાગે છે,તેથી ઉલટું જો આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય
તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે.
"જાગ્રત-પ્રપંચ કેવળ મનની કલ્પનાથી જ ઉભો થયો છે" એમ સમજાઈ જાય તો તે મિથ્યા થઇ રહે છે.તે જાગ્રત-પ્રપંચ જો વિવેક-વિચારથી નિર્મળ થઇ જાય તો-તે સ્વપ્ન જેવો જ અનુભવમાં આવે છે.

Nov 19, 2017

પતંજલિના યોગસૂત્રો-01-Yogsutra of Patanjali-Gujarati

(૧) સમાધિ-પાદ (એકાગ્રતા- તેનો આધ્યાત્મિક ઉપયોગ)
ટૂંક-સાર
સમાધિ-પાદ

અહીં પતંજલિ-
સહુ પ્રથમ આ તરંગો (વૃત્તિઓ) નો અર્થ સમજાવે છે.
બીજું, તેમનો નિરોધ કરવાનો ઉત્તમ માર્ગ બતાવે છે.અને
ત્રીજું,જેમ એક અગ્નિ બીજા અગ્નિને ગળી જાય તેમ,બીજા બધા તરંગોનો નિરોધ કરી શકે,
એવા "એક" તરંગ ને પ્રબળ કેમ બનાવવો તે શીખવે છે.
કારણકે જયારે એક જ તરંગ બાકી રહે ત્યારે તેનો નિરોધ કરવાનું સહેલું થઇ પડે છે.

અને જયારે તે એક તરંગ પણ સમી જાય ત્યારે તે સમાધિ ને "નિર્બીજ" કહી છે.
ત્યારે કંઈ જ બાકી રહેતું નથી,અને આત્મા તેના "સ્વ-રૂપ" તેના પોતાના "સ્વ-મહિમા" માં પ્રગટ થાય છે.અને ત્યારે જ મનુષ્ય ને ખબર પડે છે કે-"આત્મા-એ કોઈ મિશ્ર વસ્તુ નથી"

વિશ્વમાં એ (આત્મા) એક જ "અમિશ્ર" અને "શાશ્વત" છે.
અને આમ હોવાથી તેને જન્મ નથી કે તેને મૃત્યુ નથી.
તે (આત્મા) એ મૃત્યુ રહિત,અવિનાશી અને "જ્ઞાન નું સનાતન સાર-તત્વ" છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-985

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,કારણ વિના કશું કાર્ય સંભવતું જ નથી,પણ વસ્તુતઃ પરબ્રહ્મ એ કશાનું ય "કારણ" ના હોવાને લીધે,અહી કારણનો અભાવ હોવાથી કારણ અને કાર્ય (કેવલ-જાગર) નામનો કોઈ ભેદ સંભવતો જ નથી,અને જો આમ હોય તો બીજા (આગળ કહ્યા તે) જીવોના (સાત) ભેદો પણ અસંભવિત થઇ જાય છે.આ નામ-રૂપ-વાળા વિષયોની (જીવોના સાત ભેદોની) કલ્પના-એ અધિકારી પુરુષોને તે વિષયોનો ઉપદેશ આપવા (સમજાવવા) માટે જ કરવામાં આવી છે.