એ સર્વ તે રુદ્રનાં ત્રણ નેત્ર-રૂપ છે.ત્રૈલોક્ય-રૂપી ત્રિશૂલ,તેમણે પોતાની મૂઠીની અંદર પકડી રાખ્યું છે.
સર્વ પ્રાણીમાત્રમાં એ રુદ્ર સિવાય બીજું કશું નથી,તેથી સર્વ દેહોના આત્મારૂપ તે જ થઇ રહેલ છે.
પોતે સર્જેલ પ્રાણીઓને તેમના કર્મો મુજબ ભોગ આપવો અને અંતે મોક્ષનો અધિકાર પ્રાપ્ત થતાં તેમને
મોક્ષ આપવો,એવો જેમનો સ્વભાવ છે-તે જ તેમનું 'સૃષ્ટિ-રચનાનું પ્રયોજન' છે.