સિદ્ધ મહાત્મા (વસિષ્ઠને) કહે છે કે-હે મહારાજ,જ્યાં આજે કે કાલે,ક્રૂર કાળ મસ્તક પર પગ મૂકવાને કે આપત્તિ આપવાને
તૈયાર થઇ રહ્યો છે,ત્યાં કયા સમયે,કોને,ક્યાંથી અને કયા પ્રકારે આ અનિત્ય પ્રપંચનો ભરોસો રખાય?
તૈયાર થઇ રહ્યો છે,ત્યાં કયા સમયે,કોને,ક્યાંથી અને કયા પ્રકારે આ અનિત્ય પ્રપંચનો ભરોસો રખાય?
આ આખું આયુષ્ય નીરસ ભોગો અને તેના મનોરથોમાં જ ચાલ્યું ગયું,પરંતુ ચમત્કાર બતાવે એવો કોઈ પુરુષાર્થ મારાથી
મેળવાયો નથી.હવે આજે મોહ મંદ પડી ગયો છે અને દેહ નિઃસાર હોવાથી કોઈ ઉપયોગી દેખાતો નથી.
મેળવાયો નથી.હવે આજે મોહ મંદ પડી ગયો છે અને દેહ નિઃસાર હોવાથી કોઈ ઉપયોગી દેખાતો નથી.
આવા જીવનમાં,ઇન્દ્રિયો અને તેના વિષયોમાં (ભોગોમાં) આસ્થા (આસક્તિ) રાખવી એ અધમ સ્થિતિ છે
પણ વિષયોમાં (ભોગોમાં) અનાસ્થા (અનાસક્તિ) રાખવી એ જ ઉત્તમ અવસ્થા છે.