Feb 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1065

સિદ્ધ મહાત્મા (વસિષ્ઠને) કહે છે કે-હે મહારાજ,જ્યાં આજે કે કાલે,ક્રૂર કાળ મસ્તક પર પગ મૂકવાને કે આપત્તિ આપવાને
તૈયાર થઇ રહ્યો છે,ત્યાં કયા સમયે,કોને,ક્યાંથી અને કયા પ્રકારે આ અનિત્ય પ્રપંચનો ભરોસો રખાય?
આ આખું આયુષ્ય નીરસ ભોગો અને તેના મનોરથોમાં જ ચાલ્યું ગયું,પરંતુ ચમત્કાર બતાવે એવો કોઈ પુરુષાર્થ મારાથી
મેળવાયો નથી.હવે આજે મોહ મંદ પડી ગયો છે અને દેહ નિઃસાર હોવાથી કોઈ ઉપયોગી દેખાતો નથી.
આવા જીવનમાં,ઇન્દ્રિયો અને તેના વિષયોમાં (ભોગોમાં) આસ્થા (આસક્તિ) રાખવી એ અધમ સ્થિતિ છે
પણ વિષયોમાં (ભોગોમાં) અનાસ્થા (અનાસક્તિ) રાખવી એ જ ઉત્તમ અવસ્થા છે.

Feb 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1064






સિદ્ધ કહે છે કે-એમ ઉદ્વેગ પામ્યા પછી મેં વિચાર કરવા માંડ્યો કે-પરમતત્વ જ માત્ર સારરૂપ છે,
તો ભોગોમાં શી મનોહરતા રહી છે? માટે હું ઉદ્વેગરહિત નિર્વિકાર ચિદાકાશમાં જ કેવળ વિશ્રાંતિ કરું.
આ સંસારમાં પાંચ વિષયો(શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ) વિના બીજું કશું દેખાતું નથી,તો પછી એવા પરિચ્છિન્ન અલ્પ-સુખમાં
હું કેમ રમું? આ સર્વ વિષયો ચિદાકાશરૂપ અને કેવળ ચિન્માત્ર છે.તો તેમાં હું  કેમ આનંદ પામું?
ખરું જોતાં વિષયો એ વિષની જેમ જ મરણ-ઉન્માદ આદિના હેતુરૂપ છે.

Feb 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1063



તે સિદ્ધ-પુરુષ બાળસૂર્યની જેમ મહાદેદીપ્યમાન દેખાતા હતા.તે પદ્માસન વાળીને નિશ્ચલ થઈને નિર્વિકલ્પ
પદમાં સ્થિર થઈને રહ્યા હતા.તે સમયે હું મારા દેહને દેખતો નહોતો પણ પાસે રહેલા સિદ્ધને જ દેખતો હતો.
પછી મેં વિચાર કર્યો કે-આ કોઈ મહા-સિદ્ધ પુરુષ છે અને એકાંતમાં વિશ્રાંતિ મેળવવાની ઈચ્છાથી
તે આ દિશાની અંદર આ વિશાળ આકાશના એકાંત ભાગમાં આવી ચડેલ છે.
તેમણે એ મારી પર્ણકુટી પોતાના ધ્યાન માટે યોગ્ય છે એવા વિચારથી જોયેલી જણાય છે.