Mar 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1107

(૧૨૪) વિપશ્ચિત રાજાઓનો દ્વીપો તથા પર્વત પર વિહાર
રામ કહે છે કે-હે મહારાજ,તે સર્વ (ચાર) વિપશ્ચિત રાજાઓ એક ચિન્મય જ હતા,
તેમનું મૂળ શરીર પણ એક જ હતું,છતાં એકીસમયે તેમને જુદીજુદી ઇચ્છાઓ કેમ ઉત્પન્ન થઇ?

વસિષ્ઠ કહે છે કે-સર્વત્ર ભરપૂર એવું એક ચિદાકાશ,એ કદી જુદાજુદા પ્રકારના આકારે થયું નથી,
છતાં,તે સર્વની અંદર વ્યાપ્ત થઈને રહેલ છે.જેમ,જીવાત્મા સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતાં,અનેક આકારે થઇ રહે છે
તેમ તે ચિદાકાશ પણ જાણે અનેક આકારે થઇ રહેલું જણાય છે.
તે ચિદાકાશ પોતે સ્વચ્છ છે પણ પોતાની અંદર પોતાના જ સ્વરૂપને તે જાણે અનેક આકારે થઇ રહેલું હોય,
તેમ પ્રતિબિમ્બિત થઇ રહેલું- અનેક આકારે દેખે છે.
એ સ્વચ્છ ચિદાકાશ જગતના આકારે પ્રતીત થાય છે -તેમાં તેની નિર્મળ સ્વચ્છતા જ કારણ-રૂપ છે.

Mar 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1106

(૧૨૨) ચારે વિપશ્ચિત રાજાઓ સમુદ્રમાં પગથી ચાલ્યા
વસિષ્ઠ કહે છે કે-પછી તે વિપશ્ચિત રાજાઓએ પ્રાતઃકાળમાં શાસ્ત્રાનુસાર પૃથ્વીની સારી વ્યવસ્થા કરી.
પછી, દિશાઓનો અંત જોવાની અત્યંત ઉત્કંઠાને લીધે તેમના દેહમાં આવેશ આવી ગયો.
મુખ્ય મંત્રીઓએ તેમને જાણે વાર્યા,છતાં આક્રંદ કરી રહેલા પોતાના સર્વ પરિજન વર્ગને તેમણે પાછો વાર્યો.
તેઓ સ્નેહ-રહિત-પણાથી,અભિમાન-માત્સર્ય-લોભ-ભય આદિને અને સ્ત્રી-પુત્ર-ધન-આદિની એષણા છોડીને,
"અમે ક્ષણ-માત્રમાં સમુદ્રને પેલે પાર જઈ,દિશાઓનો અંત જોઇને પાછા આવીશું" એમ કહી ચાલી નીકળ્યા.

Mar 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1105

(૧૨૧) દેશોની મર્યાદાનું સ્થાપન
વસિષ્ઠ કહે છે કે-તે પછી તે (જુદાજુદા ચાર દેહ વાળા) વિપશ્ચિત રાજાઓ,સમુદ્રના તટની ભૂમિ પર બેસી,
મંત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સંબંધી સર્વ પ્રયોજન (દેશની મર્યાદા બાંધવી વગેરે) કરવા લાગ્યા.પછી તેમણે
ત્યાં જ પોતાની નિવાસ-ભૂમિ કલ્પી લઇ સ્થિતિ કરી અને ક્રમ પ્રમાણે નિર્બાધ-પણે દેશની મર્યાદા બાંધી.
રાત થઇ ગઈ એટલે તે રાજાઓ પોતપોતાની શય્યામાં સૂતા અને પોતે,પોતાના મૂળ સ્થાનથી ઠેઠ સમુદ્ર સુધી,
ઘણે દૂર આવી ચડેલા એ વિપશ્ચિત રાજાઓ વિસ્મય વડે આકુળ થઈને મનમાં વિચારવા લાગ્યા કે-