રામ કહે છે કે-હે મહારાજ,તે સર્વ (ચાર) વિપશ્ચિત રાજાઓ એક ચિન્મય જ હતા,
તેમનું મૂળ શરીર પણ એક જ હતું,છતાં એકીસમયે તેમને જુદીજુદી ઇચ્છાઓ કેમ ઉત્પન્ન થઇ?
વસિષ્ઠ કહે છે કે-સર્વત્ર ભરપૂર એવું એક ચિદાકાશ,એ કદી જુદાજુદા પ્રકારના આકારે થયું નથી,
છતાં,તે સર્વની અંદર વ્યાપ્ત થઈને રહેલ છે.જેમ,જીવાત્મા સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતાં,અનેક આકારે થઇ રહે છે
તેમ તે ચિદાકાશ પણ જાણે અનેક આકારે થઇ રહેલું જણાય છે.
તે ચિદાકાશ પોતે સ્વચ્છ છે પણ પોતાની અંદર પોતાના જ સ્વરૂપને તે જાણે અનેક આકારે થઇ રહેલું હોય,
તેમ પ્રતિબિમ્બિત થઇ રહેલું- અનેક આકારે દેખે છે.
એ સ્વચ્છ ચિદાકાશ જગતના આકારે પ્રતીત થાય છે -તેમાં તેની નિર્મળ સ્વચ્છતા જ કારણ-રૂપ છે.