તે બ્રહ્મમય જ હોવાથી આરંભથી રહિત અને નિરાકાર છે છતાં અનિર્વચનીય માયા વડે ભાસ્યા કરે છે.
તે ઝાંઝવાના જળની જેમ મિથ્યા ભ્રમ-રૂપ છે.પાણીમાં થનાર કંપ (તરંગ) ની જેમ તે કંપ્યા કરે છે.
બ્રહ્મમાં તે જગત અજ્ઞાનથી જ ભિન્ન-રૂપે ભાસે છે.ને સ્વપ્નમાં તથા સંકલ્પ-સૃષ્ટિમાં
ખડા થઇ ગયેલ પર્વતની જેમ મનોમય અને આભાસ-રૂપ (મિથ્યા) છે.