Sep 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1252

રામ કહે છે કે-આ જગત બ્રહ્મની અંદર ઉત્પન્ન  થયેલું જ નથી ને તેની જુદી સત્તા નથી પણ
તે બ્રહ્મમય જ હોવાથી આરંભથી રહિત અને નિરાકાર છે છતાં અનિર્વચનીય માયા વડે ભાસ્યા કરે છે.
તે ઝાંઝવાના જળની જેમ મિથ્યા ભ્રમ-રૂપ છે.પાણીમાં થનાર કંપ (તરંગ) ની જેમ તે કંપ્યા કરે છે.
બ્રહ્મમાં તે જગત અજ્ઞાનથી જ ભિન્ન-રૂપે ભાસે છે.ને સ્વપ્નમાં તથા સંકલ્પ-સૃષ્ટિમાં
ખડા થઇ ગયેલ પર્વતની જેમ મનોમય અને આભાસ-રૂપ (મિથ્યા) છે.

Sep 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1251

રામ : તૃષ્ણાથી રહિત થઇ જવું તે જ ખરું જ્ઞાન છે બાકી જેમાં વૈરાગ્ય નથી,તે પાંડિત્ય તો મૂર્ખતા જ છે.
જ્ઞાન અને વૈરાગ્યની નિરતિશય સંપત્તિ એ જ મોક્ષ કહેવાય છે અને તેવા અનંત શાંત પદમાં સ્થિતિ રાખનાર
પુરુષને પછી શોક કરવાનો સમય આવતો નથી.જે કંઈ જાણવાનું હતું તે સર્વ જાણ્યું,જે છોડવાનું હતું તે છોડ્યું,
જે કરવાનું હતું તે કર્યું અને જે જોવાનું હતું તે સર્વ જોયું.જે આ કંઈ સર્વ છે તે પરબ્રહ્મરૂપ જ છે.

Sep 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1250

રામ કહે છે કે-જીવનમુક્ત પુરુષને સર્વત્ર સત્ય ચિન્માત્ર-તત્વ જ સૃષ્ટિ-પ્રલય-આદિ-રૂપે ભાસે છે.
વ્યુત્થાન(સમાધિમાંથી જાગ્રત)દશામાં ચિન્માત્ર-તત્વ જ તેને વિશ્વ-રૂપ જણાય છે અને સમાધિ દશામાં
તેને તે (વિશ્વ) બ્રહ્મ-રૂપ પ્રતીતિમાં આવે છે.વ્યુત્થિત દશામાં કે સમાધિ દશામાં રહ્યા છતાં જે પુરુષ
ભેદ-ભાવનાથી રહિત,બોધરૂપ અને સત્ય એવા સ્વરૂપાનુભવમાં જ સ્થિર થઈને રહે છે,
તે જ તે સર્વ દૃશ્ય (જગત)ને ઉદાસીનપણાથી જુએ છે ને શાંતિને પ્રાપ્ત થાય છે.