મિથ્યા-રૂપે જ તેની ક્રિયાઓ કરે છે અને પરિવર્તન પામ્યા કરે છે.તે પોતે જ વ્યષ્ટિ-રૂપ 'જીવ' બનીને,
ઉપરના લોકમાંથી નીચેના લોકમાં આવે છે તો નીચેના લોકમાંથી ઉપરના લોકમાં પણ જાય છે.
વસ્તુતઃ તો આ જગતનું મિથ્યાપણું પણ નથી કે સત્યપણું પણ નથી,પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત
પરમ-તત્વ જ અનિર્વચનીયપણે આ સર્વ-રૂપ થઇ રહેલું છે.એટલે આ જગત પણ આકાશના જેવું સ્વચ્છ છે,
શિલાના ગર્ભ જેવું એકરસ છે અને પાષાણ-મૌનના જેવું શાંત-નિર્વિકલ્પ-અવિનાશી છે.