વાલ્મીકિ કહે છે કે-વસિષ્ઠજી ઉપર પ્રમાણે કહેતા હતા તેવામાં,આકાશમાં દેવતાઓનો દુંદુભિનાદ થવા લાગ્યો
અને પૃથ્વી પર પુષ્પ-વૃષ્ટિ થવા લાગી.પછી પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે સભાના સર્વ સભ્યોએ
તે દિવ્ય પુષ્પો લીધાં અને વસિષ્ઠના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.
અને પૃથ્વી પર પુષ્પ-વૃષ્ટિ થવા લાગી.પછી પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે સભાના સર્વ સભ્યોએ
તે દિવ્ય પુષ્પો લીધાં અને વસિષ્ઠના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.
દશરથ રાજા કહે છે કે-અહો! અમે લાંબા કાળ સુધી આ સંસાર-રૂપી જંગલમાં ભમવાથી બહુ થાકી ગયા હતા,
પરંતુ આપના ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ,ને વિશ્રાંતિ પામ્યા છીએ.
પરંતુ આપના ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ,ને વિશ્રાંતિ પામ્યા છીએ.
અનેક દૃષ્ટાંતો વડે,આપે અમારી દૃશ્યની ભ્રાંતિ દુર કરી છે.