Feb 24, 2020

ભાગવત રહસ્ય-૧૯૯

ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે.અને અંત –મમ-શબ્દથી કર્યો છે.
આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે.
મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો એક માત્ર ધર્મ જ છે.
અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો.

Feb 23, 2020

ભાગવત રહસ્ય-૧૯૮

વામનજીએ બલિરાજાને સંકલ્પ મુકાવડાવ્યો.અને સંકલ્પ જેવો પત્યો –કે-
વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે.
ચરણ ધરતી પર અને મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. શ્રીઅંગથી જગતને વ્યાપી લીધું છે.જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે.
જગતની બહાર દશ આંગળ રહ્યા છે.

Feb 22, 2020

ભાગવત રહસ્ય-૧૯૭

બલિરાજા શુક્રાચાર્યને કહે છે-હું પ્રહલાદના વંશનો છું,હું વૈષ્ણવ છું.અમે વૈષ્ણવોગળામાં કંઠી ધારણ કરીએ છીએ.વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.શરીર ભોગ માટે નથી ભગવાનના માટે છે,તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે.અને ભગવાનનો થઈશ.એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું પડશે.કદાચ હું નરકમાં જાઉં તો ઠાકોરજીએ ત્યાં આવવું પડશે.આજે હું સર્વસ્વનું દાન કરીશ.છો ને પછી –ભલે- મારે નરકમાં જવું પડે.