Mar 23, 2020

ભાગવત રહસ્ય -૨૨૩

પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા.
જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.
મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”

Mar 22, 2020

ભાગવત રહસ્ય -૨૨૨

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.

Mar 21, 2020

ભાગવત રહસ્ય -૨૨૧

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.