May 23, 2020

ભાગવત રહસ્ય -૨૮૩

ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.

May 22, 2020

ભાગવત રહસ્ય -૨૮૨

સમાધિમાં બેઠા પહેલાં યોગીઓને મન અને સર્વ ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે.ઈન્દ્રિયોને કાબુમાં રાખી તેના બધા દરવાજા બંધ કરવા પડે છે.આંખ બંધ કરવી પડે છે,નાક બંધ કરવું પડે છે.તેમ છતાં વાસના રૂપી ધૂળ ક્યારે ઘુસી જાય છે તે ખબર પડતી નથી.તેથી જ્ઞાનમાર્ગને કઠણ માન્યો છે,જ્ઞાનમાર્ગમાં પતનનો ભય હોય છે.જયારે-ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયો જોડે ઝગડો નથી,ભક્તિમાર્ગમાં આંખ અને સર્વ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણને આપવાની હોય છે.

May 21, 2020

ભાગવત રહસ્ય -૨૮૧

દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય છે.પરમાત્મા રસ-સ્વ-રૂપ છે. અને તેથી જીવ (આત્મા) પણ રસ-રૂપ છે.મનુષ્યને કોઈ ને કોઈ રસમાં રુચિ હોય છે,ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ-કથા આનંદ આપે છે.વિરહ કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે-ત્યારે રસાનુભૂતિ (રસની અનુભૂતિ) થાય છે.
સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર,વિષયી,મુમુક્ષુ,મુક્ત.