ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.