May 27, 2020

Bhadrkali Mataji,Abu-road,Rajasthan


ભાગવત રહસ્ય -૨૮૭

દાઉજી (બળદેવજી)નું પ્રાગટ્ય થયું છે-પણ દાઉજી આંખ ઉઘાડતા નથી. મનમાં વિચારે છે-કે-“જ્યાં સુધી મારા કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું હૃદયમાં ઉતારીશ પછી જ મારે જગત જોવું છે.મારે મારી આંખ બીજા કોઈને આપવી નથી ”યશોદાજીએ શાંડિલ્યઋષિનાં ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યાં અને બલદેવની નજર ઉતારવાનું કહ્યું.

May 26, 2020

ભાગવત રહસ્ય -૨૮૬

નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકીને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકોને માર્યા છે.કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વને –જીવમાત્રને કેદમાં નાખે છે.સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહમાં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.વસુદેવ-દેવકી કારાગ્રહમાં જાગે છે.