Jun 3, 2020

ભાગવત રહસ્ય -૨૯૪

લોકો વર્ષમાં એકવાર નંદમહોત્સવ કરે છે,પણ,નંદમહોત્સવ તો રોજ કરવો જોઈએ.નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.

Jun 2, 2020

ભાગવત રહસ્ય -૨૯૩

ગોપી,નૌલખો હાર અને લાલાની –સાદી વાર્તા પાછળનો સિદ્ધાંત દિવ્ય છે.
હાર,વસ્ત્રો,ચાંદીની થાળી વગરે લૌકિક સુખના પ્રતિક છે, જે લૌકિક સુખ ને છોડે,તેને લાલો મળે.જે લૌકિક સુખમાં આનંદ માને તેને પરમાનંદ મળતો નથી.
પરમાત્મા પરમાનંદનું સ્વ-રૂપ છે.જે આનંદ કાયમ માટે ટકે તેને પરમાનંદ કહે છે.
વિષયાનંદ એક-બે ક્ષણથી વધારે ટકતો નથી.

Jun 1, 2020

ભાગવત રહસ્ય -૨૯૨

આ બાજુ ગોપીઓએ યશોદાને ત્યાં લાલાના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા,અને તેમને --લાલાના દર્શનની “આતુરતા “ જાગી છે--લાલાને “આપવા” ભેટો લઇને દોડી છે.ગોપીઓ કૃષ્ણદર્શન,માટે દોડે છે,જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને મળવા જાય છે.જયારે ગોપીઓ દોડતી લાલાને મળવા જાય છે,ત્યારે તેમના એક એક અંગને –જાણે પ્રભુના દર્શનની ઉતાવળ થઇ હોય તેવું લાગે છે.ઇન્દ્રિયોને જાણે વાચા ફૂટી છે.(ઇન્દ્રિયો બોલે છે)