Jul 3, 2020

ભાગવત રહસ્ય -૩૨૩

એ દૃશ્યની કલ્પના કરવા જેવી છે,હમણાં સુધી વૈશ્યના છોકરા ના (કૃષ્ણના) ખીરને અડી જવાથી જે,ગર્ગાચાર્ય- નવી રસોઈ બનાવે છે, તે જ બ્રાહ્મણ અત્યારે લાલાના હાથ થી કોળિયો લઇ રહ્યા છે.બીજી બાજુ યશોદા મા જાગ્યાં,જોયું,તો -લાલો ગોદમાં ના મળે,એકદમ હાંફળા-થઇ ગયા ને વિચારે છે-કે-લાલો ગયો ક્યાં ? જુએ છે તો,કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે,મહારાજ હાથ જોડી ને બેઠા છે,અને કનૈયો મહારાજને ખીર ખવડાવે છે.

Jul 2, 2020

ભાગવત રહસ્ય -૩૨૨

યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન છોકરો છે,તેને અક્કલ નથી,બાળક છે,
ભૂલ થઇ છે,તમે ક્ષમા કરો.ગર્ગાચાર્ય કહે છે-કે ક્ષમા તો કરું પણ આ ખીર મારાથી કેવી રીતે ખવાશે ?ફરીથી ખીર બનાવવી પડશે.યશોદા મા કહે છે-કે- મહારાજ તમે ફરીથી ખીર બનાવો.યશોદાજીનો પ્રેમ એવો હતો કે-મહારાજ ફરી રસોઈ કરવા તૈયાર થયા છે,મહારાજે ઘડો ઉઠાવ્યો,અને યમુનાજી માં ફરીથી સ્નાન કરવા ગયા છે.

Jul 1, 2020

ભાગવત રહસ્ય -૩૨૧

ગર્ગાચાર્યે,લાલાજીના નામકરણની વિધિ કરી, અને લાલાજીનું નામ “કૃષ્ણ” પાડ્યું.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.