નિંદ્રામાં મન કોઈ વિષય તરફ જતું નથી,એટલે કે તે નિર્વિષય બને છે,અને જગત ભુલાય છે.અને જેથી નિંદ્રામાં સુખ અનુભવાય છે. સમાધિમાં પણ જગત ભુલાય છે પણ નિંદ્રા ને સમાધિમાં તફાવત છે.સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે,ચિત્તવૃત્તિ નો નિરોધ થાય છે. અને મન પૂર્ણપણે નિર્વિષય થઇ જાય છે, જયારે નિંદ્રામાં મન પૂર્ણપણે નિર્વિષય થતું નથી.
Jul 19, 2020
Jul 18, 2020
ભાગવત રહસ્ય -૩૩૫
જગત રહેવાનું,જગતના વિષયો રહેવાના,શરીર રહેવાનું અને મન પણ રહેવાનું.
એટલે મહાત્માઓ કહે છે-કે-“જગતને છોડી ને ક્યાં જશો ? જગતમાં રહો, પણ જગત ને ભગવદ-દૃષ્ટિથી જુઓ.” પણ અજ્ઞાનીઓ જગતને ભોગ-દૃષ્ટિથી જુએ છે,લૌકિક (જગતના) નામરૂપમાં આસક્તિ તે માયા અને અલૌકિક (ઈશ્વરના) નામરૂપમાં આસક્તિ તે ભક્તિ.જગતમાં ભગવદ-ભાવના રાખ્યા વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.દશમ સ્કંધમાં નિરોધ લીલા છે.સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે.
એટલે મહાત્માઓ કહે છે-કે-“જગતને છોડી ને ક્યાં જશો ? જગતમાં રહો, પણ જગત ને ભગવદ-દૃષ્ટિથી જુઓ.” પણ અજ્ઞાનીઓ જગતને ભોગ-દૃષ્ટિથી જુએ છે,લૌકિક (જગતના) નામરૂપમાં આસક્તિ તે માયા અને અલૌકિક (ઈશ્વરના) નામરૂપમાં આસક્તિ તે ભક્તિ.જગતમાં ભગવદ-ભાવના રાખ્યા વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.દશમ સ્કંધમાં નિરોધ લીલા છે.સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે.
Jul 17, 2020
ભાગવત રહસ્ય -૩૩૪
કનૈયા ના આવા તોફાનો જોઈને છેવટે ગોપીઓએ યશોદાજીને કહ્યું કે-મા.તમે ગણપતિની બાધા રાખો,ગણપતિ બુદ્ધિ-સિદ્ધિના માલિક દેવ છે.તે કનૈયાની બુદ્ધિ સુધારશે.એટલે યશોદાજીએ ગણપતિ ની બાધા રાખી છે.કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે.એટલે મંડળીના બધાં બાળકોને કહ્યું કે-આપણે હમણાં કોઈ પ્રવૃત્તિ કરવી નથી.લાલો હવે ઘરની બહાર પણ નીકળતો નથી.યશોદા માને છે કે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે.
Subscribe to:
Posts (Atom)