Sep 15, 2020
ભાગવત રહસ્ય -૩૯૨
વ્રજ ની કેટલીક કુમારિકાઓ (કુમારિકા ગોપીઓ) ગૌરીવ્રત કરે છે.પાંચ વર્ષની કન્યાને કુમારિકા કહે છે.ગોપી માટે અહીં કુમારિકા શબ્દ વાપર્યો છે.સારો પતિ મળે તે માટે આ કુમારિકાઓ ગૌરીવ્રત કરે છે.કુમારિકાઓ યમુના કિનારે આવે,રેતીમાંથી પાર્વતી ની મૂર્તિ બનાવે અને પાર્વતીમાની આરાધના કરે.જરા વિચાર કરવામાં આવે તો-સમજાશે કે-પાંચ વર્ષ ની કન્યા ને ખબર શું હોય ?- કે- પતિ એટલે શું ? અને લગ્ન એટલે શું ? પણ આ ઋષિરૂપા કુમારિકા-ગોપીઓ કામનો નાશ કરવા કાત્યાયની (પાર્વતી) દેવીની આરાધના કરે છે.
Subscribe to:
Posts (Atom)