Sep 21, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-23



ભાગવત રહસ્ય -૩૯૭

ચીરહરણલીલા વખતે શ્રીકૃષ્ણે ગોપીઓને કહ્યું હતું કે-યોગ્ય સમયે હું તમને રાસલીલામાં મળીશ.
જેને ભગવાન અપનાવે છે,જેનો ભગવાન અંગીકાર કરે છે તેને જ રાસમાં પ્રવેશ મળે છે.
ગોકુલની બધી જ ગોપીઓ રાસમાં ગઈ નથી.જેનો અધિકાર સિદ્ધ થયો હતો,જેનો છેલ્લો જન્મ હતો,માત્ર તે ગોપીઓને જ રાસલીલામાં પ્રવેશ મળ્યો છે.રાસલીલામાં ધ્યાન માં રાખવું બહુ જ જરૂરી છે કે-ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી.ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે-શ્રીકૃષ્ણે ગોપીઓના શરીરને સ્પર્શ પણ કર્યો નથી.