Oct 12, 2020
ભાગવત રહસ્ય -૪૧૫
વૈકુંઠમાં નારાયણ આંખ બંધ કરીને આરામ કરે છે,શયન કરે છે.ત્યાં માખણચોરીની લીલા થતી નથી,વૈકુંઠમાં નારાયણ કોઈને ત્યાં માખણ આરોગવા જતા નથી,પણ,વ્રજમાં તો કનૈયો ગોપીઓના ઘેર માખણ આરોગવા જાય છે,અને માખણચોરીની લીલા પણ કરે
છે.વૈકુંઠમાં નારાયણ કોઈ સાથે રમતા નથી,પણ વ્રજમાં તો બાળકો સાથે રમે છે.
વૈકુંઠમાં
ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાની દેવો અને ઋષિઓ ને પણ હિંમત થતી નથી,
તેઓ
માત્ર પાદુકાનો સ્પર્શ કરે છે,ત્યારે વ્રજ
માં તો કનૈયો,ગોપીઓ ની પાછળ પાછળ ચાલીને વગર બોલાવ્યે તેમના ઘેર પણ જાય છે.
ભાગવત રહસ્ય -૪૧૪
“અમે
બધું છોડીને આવ્યાં છીએ અને તમે અમારો ત્યાગ કર્યો છે,નાથ દર્શન આપો”
ગોપીને મરણની બીક નથી,પોતે નિર્વિકાર-નિષ્કામ છે એટલે પોતે જો મરશે તો શ્રીકૃષ્ણ ના
ચરણમાં જ જશે
તેવી તેને ખાતરી છે.ગોપીનું મૃત્યુ –એ તો તેને પ્રભુનું મિલન કરાવનાર છે.
Subscribe to:
Posts (Atom)