Oct 14, 2020

ભાગવત રહસ્ય -૪૧૭

ગોપીગીતના બીજા શ્લોકમાં શ્રીકૃષ્ણની આંખનું વર્ણન છે.
--તમારી આંખ અમને પ્રેમનું દાન કરે છે.
--તમારી આંખથી તમે વરદાન આપ્યું છે.
--તમારી આંખ અમને વગર મૂલ્યની દાસી (અશુલ્ક-દાસિકા) બનાવે છે.
પરમાત્માની આંખમાં પ્રેમ ભર્યો છે.પોતાની આંખમાં પરમાત્માને રાખે તે સાચો ભક્ત.

Oct 13, 2020

ભાગવત રહસ્ય -૪૧૬

ગોપી કહે છે કે-કનૈયા,અમે કેવળ તારા માટે જીવીએ છીએ.અમારા પ્રાણને લેવા કાળ આવ્યો છે પણ તે કાળ અમારા પ્રાણને પકડી શકતો નથી,કારણકે,અમારા પ્રાણ તો તારામાં છે.શ્રીકૃષ્ણ તો કાળના પણ કાળ છે,ગોપીના પ્રાણ ગોપીમાં હોય તો કાળ તે પ્રાણ ને પકડી શકે,પણ તેના પ્રાણ શ્રીકૃષ્ણ પાસે હોવાથી કાળ કશું કરી શકતો નથી,
એટલે ગોપીના પ્રાણ જતા નથી.જે પ્રભુ માટે જીવે તેને પરમાત્મા મળે છે,પણ આ સંસારમાં કોઈ પૈસા માટે,કોઈ સ્ત્રી માટે,તો વળી કોઈ સંસારસુખ ભોગવવા માટે જીવે છે. અહીં ગોપી તો માત્ર પરમાત્મા માટે જ જીવે છે.